Connect with us

Bhavnagar

ભાવનગર ; ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ શ્રધ્ધાળુઓમાં ભારે હર્ષોલ્લાસ

Published

on

Bhavnagar; Great joy among the devotees about the Rath Yatra of Lord Jagannath

કુવાડિયા

યુવા વર્ગમાં પ્રવર્તિ રહેલો ભારે ઉત્સાહ, ચોમેર જય જય જગન્નાથનો નાદ ગૂંજી ઉઠશે, મંગળવારે અષાઢી બીજે શહેરમાં વિવિધ મનોહર થીમ પર આધારિત રથયાત્રા પરંપરાગત રાજમાર્ગો પર દબદબાભેર નિકળશે

દર વર્ષની જેમ આ વર્ષે પણ જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા અષાઢી બીજના મહિમાવંતા મહાપર્વે આગામી તા.૨૦ જુનને મંગળવારે ભાવનગર શહેરમાં મનોહર થીમ પર આધારિત ભગવાન જગન્નાથજીની ૩૮મી રથયાત્રા પરંપરાગત રીતે હર્ષોલ્લાસપુર્ણ માહોલમાં દબદબાભેર નિકળશે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રાના ફલોટસ અને વેશભૂષામાં બદલાવ લવાયો હોય તે ભારે આકર્ષણનું કેન્દ્ર બનશે તેથી જ રથયાત્રામાં દર્શનાર્થીઓની સંખ્યા પણ ચોકકસપણે વધશે. ભાવનગર શહેરમાં સ્વ. ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને સમિતિ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૩૭ વર્ષથી શહેરમાં વાજતે ગાજતે રથયાત્રા નિકળે છે. જે મુજબ આ વર્ષે પણ અષાઢી બીજ તા.૨૦,૬,૨૦૨૩ ને મંગળવારે ધાર્મિક, સાંસ્કૃતિક, રાષ્ટ્રપ્રેમ, પર્યાવરણ પ્રત્યે જનજાગૃતિ, રાષ્ટ્રીય સમસ્યા સહિતની અલગ અલગ થીમ પર નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલકી અને જય જય જગન્નાથના ગગનભેદી નારાઓ સાથે ડીજે અને બેન્ડના સૂરીલા સંગાથે રથયાત્રા ધામધૂમથી નિકળશે તેમ જણાવી રથયાત્રા સમિતિ ટ્રસ્ટના અધ્યક્ષ હરૂભાઈ ગોંડલીયાએ વધુમાં જણાવ્યુ હતુ કે,રથયાત્રા પૂર્વે આવતીકાલ તા.૧૮,૬ ને રવિવારે સવારે ૧૦ કલાકે શહેરના સુભાષનગરના નીજમંદિરમાં નેત્રોત્સવવિધિ યોજાશે.બાદ આગામી તા.૨૦ ને મંગળવારે સવારે ૮ કલાકે શાસ્ત્રીજી દ્વારા શાસ્ત્રોકત વિધિથી ત્રણેય ભાંડરડાને સુશોભીત કાષ્ઠના રથમાં બીરાજમાન કરાશે.

Bhavnagar; Great joy among the devotees about the Rath Yatra of Lord Jagannath

મંગળાઆરતી બાદ પૂજન અર્ચન કરાશે.બાદ સંતો,મહંતો, મહામંડલેશ્વરો અને મહાનુભાવોની વિશાળ ઉપસ્થિતીમાં ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી તથા યુવરાજ જયવીરરાજસિંહજીના હસ્તે સોનાના ઝાડુથી છેડાપોરા વિધિ તથા પહિન્દવિધિ કરી દબદબાપૂર્વક રથયાત્રાને પ્રસ્થાન કરાવાશે. પ્રસ્થાન સમયે માજી સૈનિક સંગઠન દ્વારા ભગવાનને બેન્ડ અને બ્યુગલ દ્વારા સલામી આપી સ્વાગત કરાશે. રથયાત્રાના પ્રસ્થાન વેળા પુર્વ મંત્રી, પુર્વ અને વર્તમાન ધારાસભ્યો તેમજ સાંસદ,મેયર તેમજ મહાનુભાવો જોડાશે. ભગવાન દર્શન દેવા ઘરઆંગણે પધારનાર હોય દર્શનાર્થીઓની સંખ્યામાં વધારો થશે એટલુ જ નહિ રથયાત્રાના પરંપરાગત માર્ગો પર ભાવિકોનું ઠંડા પીણા અને પ્રસાદથી સ્વાગત કરવા માટેના પોઈન્ટની સંખ્યા પણ વધી રહી છે. આ વર્ષે પણ ત્રણ ટન ચણાની પ્રસાદીનું માર્ગમાં વિતરણ કરાશે. આ રથયાત્રામાં બે હાથી, છ ઘોડા,સુશોભીત ૧૦૦ ટ્રક, બે જીપ, ૨૦ ટ્રેકટર, ૧૫ છકરડા, બાળકો માટે મીની ટ્રેન, નટખટ વાંદરો, નાસિક ઢોલ, તોપ સહિતના આકર્ષણો યથાવત રહેશે.

Advertisement
error: Content is protected !!