Bhavnagar
ભાવનગર જિલ્લા આહીર સમાજ કર્મયોગી સંગઠન દ્વારા સિહોર ખાતે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
![bhavnagar-district-ahir-samaj-karmayogi-organization-organized-prize-distribution-program-at-sihore](https://shankhnadnews.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-25-at-6.56.08-AM.jpeg)
કુવાડિયા
- સિહોરના ટાઉનહોલ ખાતે આહીર સમાજ ઇનામ વિતરણ સન્માન સમારોહ સુપેરે સંપન્ન થયો, સમાજના અગ્રણીઓને સન્માનિત કરાયા
ભાવનગર જિલ્લા આહીર સમાજ કર્મયોગી સંગઠન દ્વારા સિહોર ખાતે ઇનામ વિતરણ અને સન્માન સમારોહ કાર્યક્રમ સુપરે સંપન્ન થયો હતો, કાર્યક્રમ ભાવનગર જિલ્લા આહીર સમાજ પ્રમુખ શ્રી રામભાઈ સાંગાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો કાર્યક્રમ વેળાએ પરમ પૂજ્ય શ્રી જીણારામ બાપુ, શ્રી પેથાભાઈ આહીર(ex ડિરેક્ટર GIDC), શ્રી મહેશભાઈ ખમળ(જ્ઞાતિ પટેલ), શ્રી હર્ષદભાઈ ખમળ(સિવિલ જજ), શ્રી જયેશભાઇ ડાંગર(સેક્શન ઓફિસર), શ્રી અલ્પેશભાઈ કોતર(પ્રોફેસર), શ્રી નિકુલભાઈ કોતર(પ્રોફેસર) તેમજ ડૉ. મીરાબેન ઢીલા(M.D) સહીત સમાજ ના આગેવાનો અને વિદ્યાર્થીઓ તથા વાલીઓ એ બહોળા પ્રમાણમાં હાજરી આપી.
ધોરણ 10 થી લઇ માસ્ટર ડિગ્રી ના વિદ્યાર્થીઓ તથા ગત વર્ષે જુદા જુદા સરકારી વિભાગો માં નિમણુંક પામેલ 54 કર્મયોગી ભાઈઓ તથા બહેનો તેમજ રાષ્ટ્રીય તથા રાજ્ય લેવલે જુદા જુદા ક્ષેત્રે પ્રતિનિધિત્વ કરેલ 16 વિશિષ્ટ પ્રતિભાઓ નું સન્માન કરવા માં આવ્યું હતું. ઉપરોક્ત હાજર સમાજ ના આગેવાનો તેમજ ઉચ્ચ પદ પર બિરાજમાન યુવા આઇકોન દ્વારા હાજર સૌ વિદ્યાર્થીઓ ને કારકિર્દી તેમજ શિક્ષણ ક્ષેત્ર નું અમુલ્ય માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા કર્મયોગી સંગઠન તેમજ આહીર સમાજ સિહોર દ્વારા જહેમત ઉઠાવી હતી..