Bhavnagar
ભાવનગર યુનિ.ના બી.એ. સેમેસ્ટર-6ની પરીક્ષામાં છબરડાનો આક્ષેપ ; રજુઆત, આંદોલન ચિમકી

કુવાડિયા
એનએસયુઆઇ દ્વારા કુલપતિને રજૂઆત કરાઇ, પરિણામ બે દિવસમાં નહીં સુધારાય તો આંદોલનની ચીમકી
ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિ. દ્વારા તાજેતરમાં બી.એ. સેમેસ્ટર-6ના પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અનેક વિદ્યાર્થીઓને માર્કમાં છબરડા થયા હોવાની આક્ષેપ એનએસયુઆઇ દ્વારા કરવામાં આવ્યો છે અને બે દિવસમાં આ પરિણામમાં સુધારા કરવામાં આવે અને વિદ્યાર્થીઓના વિશાળ હિતને ધ્યાનમાં લઇ સત્તાધિશો યોગ્ય પગલાં લે તેવી રજૂઆચત કુલપતિ સમક્ષ કરવામાં આવી છે.
જે બે દિવસમાં પરિણામમાં સુધારો ન થાય તો ઉગ્ર આંદોલન એનએસયુઆઇ દ્વારા કરાશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી. યુનિ. દ્વારા જાહેર કરાયેલા આ બી.એ.ના સેમેસ્ટર-6ના પરિણામમાં સોશિયલ કમ્યુનિકેશન, સોશિયલ રિસર્ચ મેથડ, સોશિયલ ડેમોગ્રાફિકના 70 ટકા જેટલા વિદ્યાર્થીઓને 0 માર્ક, 8 માર્ક, 12 માર્ક જેવા ગુણ આવ્યા હતા. જ્યારે ઘણા વિદ્યાર્થીઓને તો ઝીરો માર્ક આવ્યા હતા.