Bhavnagar
વિશ્વ મીની ફુટબોલ ચેમ્પીયનશીપમાં અયાવેજના આદિત્યસિંહ વિદેશીની ધરતી પર ગૌરવ વધાર્યું

કુવાડિયા
- ક્ષત્રીય સમાજનું ગૌરવ
- ૫૦ જેટલા ગોલ કરી એવોર્ડ મેળવ્યો ; સ્લોવોકિયાના કેપિટલ બ્રાતીસ્લાવા ખાતે મેચ રમાઇ હતી ; આદિત્યસિંહ મૂળ અયાવેજના છે, હાલ મુંબઈ ખાતે રહે છે
9 વર્ષની આટલી નાની ઉંમરે ઈન્ડિયા તરફથી વિશ્વ મિનિ ફૂટબોલ ચેમ્પિયનશિપ 2023ની નેશનલ રમતનું બ્રાતિસ્લાવા સ્લોવાકિયા ખાતે યોજાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયા માટે અંડર 11 કેટેગરીમાં રમત રમીને 50 જેટલા ગોલ રોકીને બેસ્ટ ગોલકિપર અવોર્ડ મળેલ છે. મુંબઈ – ઈસ્તંબુલ – વિયેના – બ્રાતિસ્લાવા સ્લોવાકિયા સુધીની મુસાફરી પણ આદિત્યસિંહ એ એકલા કરી હતી. વિશ્વ મીની ફુટબોલ ચેમ્પીયનશીપ ૨૦૨૩ બ્રાતિશવાલા સ્વોવાકિયા ખાતે યોજાઇ હતી. જેમાં ટીમ ઇન્ડિયા માટે અન્ડર- ૧૧ માં આદિત્યસિંહ વિરેન્દ્રસિંહ સરવૈયા રમ્યા હતા.
અને એકલા મુસાફરી કરી હતી. આદિત્યસિંહ વિરેન્દ્રસિંહ સરવૈયા મૂળ પાલીતાણાના અયાવેજ ગામના છે. જેઓ હાલ મુંબઇ ખાતે રહે છે અને નવ વર્ષની નાની ઉંમરે ઇન્ડિયા તરફથી વિશ્વ મીની ફુટબોલ ચેમ્પીયનશીપ-૨૦૨૩ની નેશનલ રમતનું આયોજન સ્લોવાકિયા ખાતે કરવામાં આવેલ જેમાં ૫૦ જેટલા ગોલ કરીને બેસ્ટ ગોલકિપરનો એવોર્ડ પણ આદિત્યસિંહે મેળવ્યો છે. સમગ્ર ક્ષત્રિય સમાજનું ગૌરવ આદિત્યસિંહ વિરેન્દ્રસિંહ સરવૈયાને સમગ્ર સમાજ તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.