Sihor
બિપરજોય સામે તકેદારી, સિહોરના વડલાચોક આસપાસ જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવાયા

દેવરાજ
સિહોરના વડલાચોક આસપાસ વાવાઝોડાના પગલે શહેરમાં તકેદારી રાખવા માટે તંત્ર સજ્જ બન્યું છે. શહેરમાં વિવિધ સ્થળો પર આવેલા જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે શહેરના અનેક સ્થળોએ હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત અલગ અલગ વિભાગને પણ તકેદારીના ભાગરૂપે સજ્જ રહેવા માટેની સૂચના અપાઇ છે.
તંત્ર તમામ તૈયારીઓમાં લાગી ચૂક્યું છે. વાવઝોડાના સંભવિત નુકશાનથી બચવા માટે તકેદારીના ભાગરૂપે પાલિકા તંત્રએ તૈયારીઓ આરંભી દીધી છે. હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી સાથે વૃક્ષો ટ્રિમિંગ કરવા સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. શહેરના અનેક વિસ્તારોમાં હોર્ડિંગ્સ અને બેનરો ઉતારી લેવાની કામગીરી કરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા ઝાડ કે જે જોખમી હોય તેવા ઝાડને ટ્રિમીંગ કરવાની પણ શરૂઆત કરી દેવામાં આવી છે.
તમામ કર્મચારીઓને હેડકવાર્ટર નહીં છોડવાની પણ તાકીદ કરવામાં આવી છે. ગુજરાત ઉપર તોળાઇ રહેલા વાવાઝોડા ના નુકશાનની સામે રાહત અને બચાવની કામગીરી માટે રાજ્યસરકાર દ્વારા કમર કસવામાં આવી છે.