Sihor
સિહોર ગોપીનાથજી મહિલા કોલેજ ખાતે હિન્દુ જાગરણ મંચ દ્વારા અંખડ ભારત વ્યાખ્યાન માળા કાર્યક્રમ યોજાયો.

દેવરાજ
જિલ્લાની સર્વશ્રેષ્ઠ એવી સિહોરની ગોપીનાથજી મહિલા કોલેજ ખાતે આજે તા.12 ઓગસ્ટ 2023 ના રોજ હિન્દુ જાગરણ મંચ દ્વારા અંખડ ભારત વિશે વ્યાખ્યાન માળા યોજાય હતી. આ કાર્યક્રમ માં પાલીતાણા હાઇસ્કુલ ના આચાર્યશ્રી કુલદીપસિંહ ગોહિલ દ્વારા તેજાબી વ્યક્તવ્ય આપેલ, તો મલય રામાનુજ દ્વારા હિન્દુ સંસ્કૃતિ અને દેશના શહીદ સૈનિકો તેમજ રાજપુરુષો,સંતો,સહિતની દેશ માટે બલિદાન આપ્યું હતું તે વિસ્તૃત માહિતી આપી હતી.
હિન્દુ જાગરણના અધ્યક્ષ અલ્પેશ શાહ, જીજ્ઞેશ આસ્તિક, મલય રામાનુજ, રવિ બારૈયા, તેમજ કોલેજના આચાર્ય પ્રો. ડૉ.યોગેશભાઈ જોષી હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં કુલદીપસિંહ ગોહિલ દ્વારા અખંડ ભારત ની એતિહાસીક બાબતોની કોલેજની વિદ્યાર્થીની ઓ સાથે ચર્ચા કરી હતી.