Sihor
સિહોર યુવા યુગ પરિવર્તન સંગઠન દ્વારા નિબંધ સ્પર્ધા યોજાઈ
![An Essay Competition was conducted by Sihore Yuva Yuga Puritan Sangthan](https://shankhnadnews.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-14-at-9.39.26-AM-1.jpeg)
Pvar
સિહોરનું સામાજિક તથા સેવાકીય ગ્રુપ યુવા યુગ પરિવર્તન સંગઠન દ્વારા તેઓની ૧૬ મી વર્ષગાંઠ ની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ૧૩ ઓગસ્ટ ના રોજ સિહોર ની વિદ્યામંજરી સ્કૂલ ખાતે સિહોર સહિત તાલુકાની સ્કૂલો ના ધો ૬થી ૮ તથા ધો ૯ થી ૧૨ ના કુલ ૨૮૮ વિદ્યાર્થીઓ માટે પ્રદુષણ એક સમસ્યા તથા આધુનિક ભારત તેમજ ભારતનો સિંહપુરુષ વિર સાવરકર અને દેશની હાલની સમસ્યા અંગે નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી.
આ નિબંધ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો ત્યારે યુવા યુગ પરિવર્તન દ્વારા નિબંધ લખવા માટે પેઇઝ,પેન વગેરે આપવામાં આવેલ આ નિબંધ સ્પર્ધામાં શ્રીમતી જે.જે.મહેતા સ્કૂલ ના આચાર્યા અમિષાબેન પટેલ તથા દિલીપભાઈ ડાંગર,વિદ્યામંજરી સ્કૂલના અમિતભાઇ લંગાળિયા,સંજયભાઈ પરમાર,ઇકબાલભાઈ રાંધનપરા તથા શાળા પરિવારના સ્ટાફ તેમજ સર્વોત્તમ ડેરી ના ચીફ જનરલ મેનેજર તેમજ yyp ના સભ્ય એવાં યોગેશભાઈ જોષી, યુવા યુગ પરિવર્તન સંગઠન ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
,કાર્યક્રમ ના અંતે વિદ્યાર્થીઓ ને જીવન જરૂરી માર્ગદર્શન આપી શાળા ના તમામ ટ્રસ્ટીશ્રીઓ, સંચાલકશ્રી પિ.કે. મોરડીયા,આચાર્ય,તેમજ શાળા પરિવાર તેમજ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓનો આભાર માનવામાં આવ્યો હતો.