Bhavnagar
તસ્વીરીકળાને ગુજરાત ગૌરવ પુરસ્કાર સુધી પહોંચાડતા ભાવનગરના અમૂલ ખોડીદાસ પરમાર

કુવાડિયા
ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા ભાવનગરના અમૂલ ખોડીદાસ પરમારને તસવીર કલાક ક્ષેત્રે આપેલ જીવંન પર્યત યોગદાનને લઈને વર્ષ 2016- 17ના ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. જેમાં રૂપિયા -51000 હજાર, તામરપત્ર, અને શાલથી સન્માન ક્યુઁ. ગૌરવ પુરસ્કાર અર્પણ સમારોહમાં પુરસ્કૃત કલાકારોની કલાકૃતિનું પ્રદર્શનનો મંગલ પ્રારંભ પણ થયો. ગુજરાત રાજ્યના સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના મંત્રી મુળુભાઇ બેરા, અતિથિ વિશેષ તરીકે અમિતભાઈ શાહ – ધારાસભ્ય, કિરીટભાઈ પરમાર મેયર અમદાવાદ તેમજ અશ્વિની કુમાર (આઈ.એ.એસ) અગ્ર સચિવ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરની ઉપસ્થિતિમાં ઠાકોરભાઈ હોલ, અમદાવાદ ખાતે તા.8-6- 2023 ના રોજ અર્પણ કરવામાં આવ્યો.
ભાવેણાના તસ્વીરકાર અમૂલ પરમાર એટલે લબ્ધ પ્રતિષ્ઠિત ચિત્રકાર અને ચિત્રકલા જગતને લોકચિત્ર શૈલીની અનોખી ભેટ આપનાર સાહિત્યકાર અને સંશોધક ખોડીદાસ પરમાર અને માતા અમજીબાના પરિવારમાં 1962 માં તેમનો જન્મ થયો. અમૂલ પરમાર ને લોકકલા અને લોકસંસ્કૃતિનો વારસો ગળથુથીમાંથી જ મળ્યો છે. પરંતુ તેમની ફોટોગ્રાફીની અવિરત યાત્રા 1986 થી શરૂઆત થઈ. લોકજીવનના વાતાવરણ અને સંસ્કારે તેમને વધુ સક્રિય બનાવ્યા. અમુલ પરમારે લોક ઉત્સવ, લોકસંસ્કૃતિ, લોકભાતીગળ મેળાઓ, તેમજ લેહ- લદાખ, નાયગ્રાફોલ, કચ્છ ઉપર પણ કામ કર્યું છે. 14 જેટલા વનમેન શો અને 11 જેટલા ગ્રુપ શો કર્યા છે. જેમાં કેનેડા અને મોરેશિયસ બંને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રદર્શન કર્યા છે. આ ઉપરાંત મુંબઈ, અમદાવાદ, ભાવનગર, રાજકોટ વગેરે સ્થળે રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ તસવીર પ્રદર્શન કર્યા છે.