Sihor
સિહોર બ્રહ્માકુમારી સેવાકેન્દ્ર દ્વારા અખીલ ગુજરાત મહાશિવરાત્રી સપ્તાહનુ ઉદ્ઘાટન કરાયું
Pvar
સિહોર ખાતે આવેલ આધ્યાત્મિક એવા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ના સેવાકેન્દ્ર ખાતે આજ રોજ આવનાર મહાશિવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે સંસ્થા દ્વારા આખા ગુજરાતભરમા ઉજવવામાં આવી રહેલા શિવજયંતી ઉત્સવ શિવઅવતરણ થી સ્વર્ણીમ ભારત ના ભાગ રૂપે સપ્તાહ નો ઉદ્ઘાટન સમારોહ સંસ્થાના કોમલરાજ ટ્રાન્સપોર્ટ ગ્રાઉન્ડ, સિહોર સેવાકેન્દ્ર ખાતે ભાવનગર જીલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, શિહોર નગરપાલિકાના નગરસેવકો દીપસંગભાઈ રાઠોડ
નિલેષભાઈ જાની, સિહોર ગોપીનાથજી કોલેજ ના આચાર્ય યોગેશભાઈ જોષી, સમર્થ હાઈસ્કૂલ ના ભોળાભાઈ ચૌહાણ સહિત ની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બ્રહ્માકુમારી સંસ્થાના દીદી રીટાબેન દ્વારા શિવરાત્રી નું આધ્યાત્મિક રહસ્ય વિસ્તૃત રીતે રસપ્રદ માહિતી અને જાણકારી આપી હતી.વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.