Gujarat
મહેસાણા કોર્ટે કરેલી 3 માસની સજામાં જીગ્નેશ મેવાણી, રેશ્મા પટેલ સહિતના તમામ 12 આરોપીઓ નિર્દોષ

કુવાડિયા
મહેસાણાથી ધાનેરા સુધી વર્ષ 2017માં કરેલી આઝાદી કુચ મામલે ફરિયાદ થઈ હતી
મહેસાણા કોર્ટે કરેલી 3 માસની સજામાં વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, આમ આદમી પાર્ટીના નેતા રેશ્મા પટેલ સહિતના તમામ 12 આરોપીઓ નિર્દોષ છુટકારો થયો છે. મહેસાણાથી ધાનેરા સુધી વર્ષ 2017માં કરેલી આઝાદી કુચ મામલે ફરિયાદ થઈ હતી. જેમાં અગાઉ નીચલી કોર્ટે સજા આપ્યા બાદ એ ચુકાદા સામે સેશન્સ કોર્ટે તમામને નિર્દોષ ઠરાવ્યાં છે. આ કેસની વિગત મુજબ વર્ષ 2017માં જીગ્નેશ મેવાણી સહિતના યુવા નેતાઓએ આઝાદી કૂચની રેલી કરી હતી. જે સંદર્ભે સરકાર દ્વારા મહેસાણા એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
જે અંગેનો કેસમાં મહેસાણા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ ન્યાયાધીશની કોર્ટે જીગ્નેશ મેવાણી, સુબોધ પરમાર, રેશ્મા પટેલ, કૌશિક પરમાર સહિતના 12 આરોપીને તકસીરવાન ઠેરવી 3 મહિનાની જેલની સજા અને રૂ.1000નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. આ હુકમ સામે જીગ્નેશ મેવાણી સહિતના દોષીતોએ સજા મહેસાણા સેસન્સ કોર્ટમાં અપીલ કરી હતી. આ અપીલ ચાલી જતા બચાવપક્ષે કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા વિવિધ ચુકાદા ધ્યાને લઈ સેશન્સ કોર્ટે તમામ દોષીતોને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.