Sihor
સિહોરમાં યુવકનું વીજ શોક લાગતા મોત

પવાર
- સિહોરમાં રહેતા યુવકનું વીજ શોક લાગવાથી મૃત્યુ થતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.
પ્રાપ્ત થતી માહિતી મુજબ સિહોરમાં રહેતા હરેશભાઈ નરેન્દ્રભાઈ મકવાણા ઉ.વ.૧૮ ને વીજ શોક લાગતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો.આ બનાવના પગલે પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.