Dhola
ધોળા જંકશન ખાતેથી પસાર થઈ રહેલી માલગાડી તળે યુવાને ઝંપલાવી કર્યો આપઘાત
દેવરાજ
ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ સ્થળ પર દોડી જઈ તપાસ હાથ ધરી
ઉમરાળાના ધોળા જંકશન રેલવે સ્ટેશન ના પ્લેટફોર્મ નંબર 2 પરથી પસાર થઈ રહેલી માલગાડી હેઠળ આવી તરપાળાના યુવાને આત્મહત્યા કરી લીધી હતી આ ઘટનાની જાણ થતા ની સાથે જ રેલવે પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવવાની જાણવા મળતી વિગત મુજબ ઉમરાળા ના તરપાળા ગામે રહેતા હાર્દિકભાઈ ભરતભાઈ રાઠોડ સવારના સમયે ઉમરાળા ના ધોળા જંકશન રેલવે સ્ટેશન પરથી પસાર થઈ રહેલા માલગાડી બોટાદ થી પીપાવાવ તરફ જઈ રહી હતી ત્યારે તરપાળા ના યુવાને પ્લેટફોર્મ નંબર બે નજીક માલગાડી તળે ઝંપલાવી દીધું હતું.
માલગાડી તળે જપલાવતા આવતા ની સાથે જ યુવાનનું મોત થયું હતું આ ઘટનાની જાણ થતા ની સાથે જ રેલવે પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની તજવીજ હાથ ધરી હતી વધુમાં જાણવા મળતી વિગત મુજબ યુવાન હીરા ઘસતો હોવાની કામગીરી કરતો હોવાનું જાણવા મળ્યું છે તદ ઉપરાંત રેલવે પોલીસે યુવાને આત્મહત્યા કેમ કરી તે અંગે ની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી