Sihor
સિહોરમાં માતા અને કિશોરીઓના સંમેલનમાં કિશોરાવસ્થાના વિવિધ પ્રશ્નો અંગે માર્ગદર્શન અપાયું

પવાર
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર અને ભુતા પરિવાર દ્વારા સિહોર ખાતે ધી સિહોર એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જે.જે.મહેતા મલ્ટી પર્પસ ગર્લ્સ હાઇસ્કુલ સિહોરમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર જિલ્લા દ્વારા કિશોરીઓના સંમેલનમાં કિશોરાવસ્થાના વિવિધ પ્રશ્નો અંગે જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કિશોરાવસ્થામાં કિશોરી દીકરીઓમાં અનેક ભાવાત્મક ફેરફારો અને માનસિક સ્થિતિમાં બદલાવ આવે છે અને સાથે માનસિક અને શારીરિક બદલાવ સહિતના અનેક પ્રશ્નો હોય છે ત્યારે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર જિલ્લા શાખાના સહયોગથી ધોરણ 9 અને 10ની 800 જેટલી વિદ્યાર્થીનીઓ અને તેમની માતાઓને કિશોરીઓની તરુણાવસ્થા અને તેમના પ્રશ્નો અંગે માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત ડોક્ટર આશાબેન અને રેડ ક્રોસ સ્ટાફ દ્વારા માતાઓને સર્વાઇકલ કેન્સર અને સ્તન કેન્સર વિશે માહિતી આપી હતી, કિશોરીઓમાં પૌષ્ટિક આહાર વિશે સમજણ આપવામાં આવી. પૌષ્ટિક આહારની ઉણપથી શરીરની સ્વચ્છતા ખોરવાય છે તેના વિશે સમજ આપી હતી. કિશોરીઓમાં તરણાવસ્થા વિશેના પ્રશ્નોનો અને તેમની માતાઓના આરોગ્ય લક્ષી પ્રશ્નોનું નિરાકરણ આ સંમેલનમાં કરવામાં આવ્યું હતું. આ તમામ આયોજનમાં શાળાના ટ્રસ્ટી ભાવિકાબેન આશિષભાઈ ભુતા, ઇલાબેન જાની એડવોકેટ, અમિષાબેન પટેલ પ્રિન્સિપાલ તથા ગણપુલે મહિલા મંડળના બહેનોએ ઉપસ્થિત રહ્યા હતા.