Sihor
આઇ.આઇ.ટી.ના દલિત વિદ્યાર્થી દર્શન સોલંકી આપઘાત પ્રકરણમાં રવિવારે સિહોરમાં કેન્ડલ માર્ચ અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

પવાર
અમદાવાદના એન્જિનિયરિંગના એક વિદ્યાર્થીએ મુંબઈમાં આત્મહત્યા કરતા પરિવાર પર આભ તૂટ્યું હતું. છેલ્લા ત્રણ મહિનાથી મુંબઈ આઈ આઈ ટી માં અભ્યાસ કરવા ગયેલા યુવકે પોતાનું જીવન કેમ ટૂંકાવ્યું તેના પર અનેક રહસ્યો છે. પરંતુ ઘટનાને લઈ દલિત સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે, સમગ્ર મામલે ગઈકાલે એટલે કે રવિવારે સિહોરમાં પણ દલિત અધિકાર મંચ અને સમાજના આગેવાનો દ્વારા યુવકને શ્રદ્ધાંજલિ તેમજ કેન્ડલ માર્ચ યોજવામાં આવી અમદાવાદમાં રહેતા તેના પરિવારજનોનું આક્ષેપ છે કે યુવક સાથે સામાજિક ભેદભાવ રાખવામાં આવતો હતો. જેને પગલે તેને જીવન ટૂંકાવ્યું હશે. માત્ર 18 વર્ષની ઉંમરના આ દર્શન સોલંકીનું ત્રણ મહિના પહેલા જ મુંબઈ આઇઆઇટીમાં અભ્યાસ કરવા સિલેક્શન થયું હતું.
જોકે 12 ફેબ્રુઆરીના રોજ પરિવારને તેના આત્મહત્યાના સમાચાર મળતા પગ નીચેથી જમીન ખસી ગઈ હતી પરિવારને મળેલી જાણકારી મુજબ દર્શન સોલંકી એ આઇઆઇટીમા થી છલાંગ લગાવી જીવન ટૂંકાવી હોવાનું કહેવામાં આવ્યું પરંતુ પરિવારનો આક્ષેપ છે કે યુવક ને સાથે જાતિગત ભેદભાવ કરવામાં આવતો હતો જે સહન ન કરી શકતા આ પગલું ભર્યું હોઈ શકે છે એટલું જ નહીં પરિવાર એ એવો પણ આક્ષેપ લગાવ્યો છે કે તેના મિત્રો દ્વારા શરૂઆતના દિવસોમાં તેની સાથે સારો વ્યવહાર કરવામાં આવતો હતો. પરંતુ તેના મિત્રોને દર્શન એસસી હોવાની જાણ થતા મિત્રોનો વ્યવહાર તેના પ્રત્યે બદલાઈ ગયો હતો જેને પગલે તેઓ એકલતા મહેસુસ કરતો હતો. પરિવાર ને આત્મહત્યા અંગેની જાણ થતા ન્યાયિક તપાસની પણ પોલીસ સમક્ષ માંગ કરી છે હાલમાં મુંબઈ પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે મહત્વનું છે કે અભ્યાસમાં હોશિયાર યુવક દર્શન સોલંકી ને એસ.સી હોવાના કારણે એડમિશન સરળતાથી મળી ગયું હતું અને અનેક લાભો મળતા તેના મિત્રો તેનાથી અણગમો વ્યવહાર કરતા હતા સમગ્ર મામલે ભારે ચકચાર જાગી છે