Sihor
સિહોર સાઈનાથ ક્લિનિક ખાતે હરસ- મસાની સારવાર માટે કેમ્પ યોજાયો

પવત
સિહોર ખાતે આજે એનોરેક્ટલ રોગ એટલે કે હરસ મસા, ફિશર, કબજિયાત વગેરેની સારવાર માટેનો નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો. યોજાયેલા આયુર્વેદિક કેમ્પમાં લોકોને સાઈનાથ ક્લિનિક ખાતે નિ:શુલ્ક સારવાર તેમજ આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. કેમ્પમાં મોટી સંખ્યમાં દર્દીઓએ ભાગ લીધો હતો. કેમ્પમાં ડો શ્રીકેતાબા ડી ગોહિલે દર્દીઓને તપાસી સારવાર આપી હતી