Bhavnagar
ભાવનગરમાં આજે વહેલી સવારે 1500 લોકોએ મેરેથોન દોડ લગાવી

બરફવાળા
આજે જીતો દ્વારા દેશ અને વિદેશના 65 સ્થળો પર આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું ; ભાવનગર ખાતે 3,5 અને 10.કિમિ મેરેથોનમાં 1500 લોકોએ લીધો ભાગ.
કુલ 65 સ્થળો પર 1.30 લાખ લોકોની અહિંસા રન મેરેથોનને ગિનિસ બુકમાં મળ્યું સ્થાન ; ભાવનગર ખાતે ધારાસભ્ય,કમિશ્નરે કરાવ્યું મેરેથોનને પ્રસ્થાન ; લોકોને સ્વચ્છતાના શપથ લેવરાવવામાં આવ્યા
આજે વહેલી સવારે દેશ અને વિદેશના 65 સ્થળો પર
જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે જીતો દ્વારા અહિંસા રન મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.ભાવનગર શહેરના ગુલીસ્તા ગ્રાઉન્ડ ખાતે કમિશ્નર,ધારાસભ્ય સહિતના મહાનુભવોની ઉપસ્થિતિમાં સમગ્ર વિશ્વની શાંતિ અને ઉન્નત્તિ માટે ભગવાન મહાવીરના અહિંસાનો ઉપદેશ લોકો સુધી પહોંચે તે માટે 1500 જેટલા દૌડ લગાવી હતી જ્યારે કુલ 65 સ્થાનો પર 1.30 લાખ લોકોની અહિંસા રન મેરેથોનને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. જીતો (જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન)દ્વારા સમગ્ર ભારત અને વિદેશમાં લગભગ 65 કરતા વધારે સ્થળોએ આજે સવારે 5.30 કલાકે અહિંસા રન મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.સમગ્ર વિશ્વની શાંતિ અને ઉન્નત્તિ માટે ભગવાન મહાવીરના અહિંસાનો સંદેશ દરેક સુધી પહોંચે એ આશય થી 1.30 લાખ કરતા વધારે લોકો આ અહિંસા રન માં જોડયા હતા
જેમાં ભાવનગર ખાતે કમિશ્નર, ધારાસભ્ય સહિતના મહાનુભવોની ઉપસ્થિતિમાં 10 વર્ષથી લઈ 70 વર્ષના 1500 લોકો 10 કિમિ,5 કિમિ અને 3 કિમિ મેરેથોનમાં જોડાયા હતા.મેરેથોનના પ્રારંભે ઉપસ્થિત લોકોને સ્વચ્છતા ના શપથ લેવરાવવામાં આવ્યા હતા જ્યારે ઉપસ્થિત મહાનુભવોએ ફ્લેગ ફરકાવી મેરેથોનને પ્રસ્થાન કરાવ્યું હતું.જ્યારે મેરેથોનને લઈ સ્પર્ધકો માં અનેરો ઉત્સાહ જણાતો હતો.જ્યારે જીતોના આ આયોજનને ગીનીસ બુક્સ ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. જ્યારે વિજેતાઓને ટ્રોફી સહિત ભાગ લેનાર દરેક ને ટીશર્ટ, કેપ, મેડલ, સર્ટિફિકેટ અને ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા.