Bhavnagar
ભાવનગર જિલ્લામાં 14 પી.આઈ. પી.એસ.આઈની આંતરિક બદલી

પવાર
ભાવનગર જિલ્લા પોલીસ વડા રવિન્દ્ર પટેલ દ્વારા જિલ્લાના 14 પી.આઇ. પી.એસ.આઇ.ની બદલી કરાઇ છે. સાત જેટલા પી.આઇ. જેમાં ભરતનગર પો.સ્ટે.ના બી.આર.બેરાને અલંગ મરીન ખાતે, આર.ડી. ચૌધરી અલંગથી IUCAW, એમ.એ.દેસાઇને સી.પી.આઇ. તળાજાથી મહુવા પો.સ્ટે., ટ્રાફિક શાખાના કે.એસ.પટેલને ઘોઘા રોડ પો.સ્ટે, એ.સી.ડામોરને અલંગ મરીનથી એલ.આઇ.બી., એ.બી. ગોહિલને મહુવા પો.સ્ટેથી ભરતનગર પો.સ્ટે, કે.એમ. ભુવાને લીવ રિઝર્વમાંથી સી.પી.આઇ. તળાજા, ડી.ડી.ઝાલાને ઘોઘારોડથી સીટી ટ્રાફિક શાખા ખાતે બદલી કરવામાં આવી છે.
જ્યારે સાતેક જેટલા પી.એસ.આઇ.માં એમ.જે.કુરેશીને ઉમરાળા પો.સ્ટેથી ભાવનગર પોર્ટ મરીન ખાતે, એમ.આર. ભલગરીયાને ઘોઘા રોડ પો.સ્ટેથી ઉમરાળા પો.સ્ટે, વી.વી. ધ્રાંગુને લીવ રિઝર્વમાંથી ઘોઘા રોડ. પો.સ્ટે, વાય.પી.પટેલને લીવ રીઝર્વમાંથી ઘોઘા રોડ પો.સ્ટે, એ.એચ.ખૈયાને એમ.ઓ.બીમાંથી મહુવા પો.સ્ટે, એચ.એચ.તિવારીને ઘોઘારોડ થી અલંગ પો.સ્ટે. ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે રીડર શાખાના પી.એસ.આઇ. એચ.એલ.જોષીને વધારાના ચાર્જ તરીકે એમ.ઓ.બી.શાખાના પી.એસ.આઇ. તરીકે ચાર્જ આપ્યો છે