Connect with us

Bhavnagar

વિભીષણ નહીં લક્ષમણ બનજો ; યુવરાજ જયવિરાજસિંહ

Published

on

વિભીષણ નહીં લક્ષમણ બનજો ; યુવરાજ જયવિરાજસિંહ


સમાજ પ્રત્યે યુવાનો જવાબદાર બને : બાપુ બાપુ કરી એકાદી બાટલી ચડાવે પછી…. શક્તિસિંહ ગોહિલની સમાજની ટકોર, ક્ષત્રિય સમાજનું શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં ભાવનગરના યુવરાજે ક્ષત્રિય સમાજને એક થવા આહવાન કર્યું, ભાઈઓને વિભીષણ નહીં લક્ષમણ બનવા હાકલ કરી, ક્ષત્રીયોની અવગણના સામે રવિન્દ્રસિંહ ભાટીનો લલકાર


કુવાડીયા
ભાવનગર ક્ષત્રિય સમાજ દ્વારા દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ, બાડમેર જિલ્લાના શિવ ગામના યુવા ધારાસભ્ય અને યુથ આઇકોન રવીન્દ્રસિંહ ભાટી, રાજેન્દ્રસિંહ રાણા, પણ ઉપસ્થિત રહ્યા હતા. તેની સાથે રાજવી પરિવાર ના યુવરાજ જયવિરરાજસિંહજી સહિત ક્ષત્રિય સમાજના આગેવાનો શસ્ત્ર પૂજનમાં જોડાયા હતા. ભાવનગર યુવરાજએ ક્ષત્રિય સમાજને એક થવા આહવાન કર્યું હતું, તેની સાથે જ યુવરાજે ક્ષત્રિય સમાજના ભાઈઓને વિભીષણ ના બનતા લક્ષમણ બનજો એ વાત પણ ઉચ્ચારી હતી. દેશભરમાં વિજયાદશમીના તહેવારની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ક્ષત્રિયો પોતાની પાસે રહેલા આયુધો એટલે કે શસ્ત્રોનું પૂજન કરતા હોય છે. ત્યારે ભાવનગર ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા શહેરના નવાપરા ખાતે આવેલ એ.વી સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજસ્થાનના યુવા ધારાસભ્ય રવીન્દ્રસિંહ ભાટી તેમજ રાજવી પરિવારના યુવરાજ જયવીરરાજસિંહજી તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી શસ્ત્ર પૂજન કર્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ હાજર રહ્યા હતા અને તેણે પણ સમાજ પ્રત્યની જવાબદારી નિભાવવા યુવાનોને આહવાન કર્યું હતું. શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત ભાવનગર રાજવી પરિવારના યુવરાજે દશેરા નિમિત્તે શુભકામના પાઠવી ભગવાન રામની જેમ મર્યાદા જાળવવા આહવાન કર્યું હતું અને ભાઈઓની સાથે હંમેશા લક્ષમણ બનીને રહેજો વિભીષણના બનતા એવી ટકોર પણ કરી હતી. આ સાથે રાજસ્થાનના બાડમેર જિલ્લાના શિવના યુવા ધારાસભ્ય અને યુવાનોમાં લોકચાહના મેળવનાર રવીન્દ્રસિંહ ભાટી પણ ઉપસ્થિત રહ્યા હતા, તેઓએ જણાવ્યું હતું કે, ક્ષત્રિય સમાજની સાથે હમેશા માટે ક્ષત્રિય સમાજ ઉભો રહ્યો છે. ક્ષત્રિય સમાજની અવગણનાનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.

error: Content is protected !!