Connect with us

Bhavnagar

દિવાળીના તહેવાર નિમિત્તે સુરત માટે વધુ ૩૦ બસોની ફાળવણી કરાઈ

Published

on

on-the-occasion-of-diwali-festival-30-more-buses-were-allocated-for-surat
  • તા. ૨0 થી ૨૨ ઓક્ટોમ્બરના મુસાફરોના ઘસારાને ધ્યાને રાખી ૧૫૫ એકસ્ટ્રા બસોનો ભાવનગર અને બોટાદના ડેપોમાંથી લાભ મુસાફરો થશે

ભાવનગર અને બોટાદ જિલ્લાનાં મુસાફરો માટે ૨૦ થી ૨૨ ઓક્ટોમ્બર દરમ્યાન સુરત માટે ૧૨૫ એકસ્ટ્રા બસો ફાળવવામાં આવી હતી જેમાં તા. ૨૧ ને શુક્રવારથી તહેવારો શરૂ થતાં હોઈ એ દિવસે વધુ ૩૦ બસોની ફાળવણી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભાવનગર અને બોટાદ ડેપો માંથી કરવામાં આવશે જેનો લાભ બૂકીંગ કરીને આઠ ડેપોમાંથી એડવાન્સ બૂકિંગ કરીને લાભ લઈ શકાશે.

આમ, તહેવારોને ધ્યાને રાખીને હવે ૧૫૫ એકસ્ટ્રા બસોની ફાળવણી કરવામાં આવી છે જેનો લાભ આગામી દિવાળીના તહેવારો દરમ્યાન લોકો પોતાના વતન તરફ મહત્તમ પ્રવાસ કરતાં હોઈ છે આથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભાવનગર વિભાગ દ્વારા તા. ૨૦ થી ૨૨ ઓક્ટોમ્બર દરમ્યાન સુરત માટે ભાવનગર અને બોટાદ જિલ્લાનાં ડેપો ભાવનગર, તળાજા, મહુવા, પાલિતાણા, ગારીયાધાર, ગઢડા, બોટાદ અને બરવાળાથી સુરત માટે આવતા જતાં બન્ને તરફ એસ. ટી. બસોનો લાભ લઈ શકાશે.

આ બસોને ટ્રાફીકની માંગ ધ્યાને લઈ પ્રથમ દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, અમદાવાદ તરફ સંચાલન કરવામાં આવશે જેનું ઓનલાઇન બૂકિંગ પણ થશે.

વધુમાં ૫૦ જેટલા મુસાફરો એક સાથે ગ્રુપ બૂકિંગ કરાવવા ઈચ્છે તો તેઓના વિસ્તારથી એસ. ટી. બસોની ફાળવણી કરવામાં આવશે તેમ વિભાગીય નિયામક એસ. ટી. ભાવનગરશ્રી એમ. ડી. શુક્લ ની યાદીમાં જણાવાયું છે.

-કૌશિક શીશાંગીયા

Advertisement
error: Content is protected !!