Connect with us

Sihor

હે જગન્નાથજી, સૌનું ભલું કરજો : સિહોર પીઆઇ ભરવાડે રથ ખેંચી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ

Published

on

O Jagannathji, do good to all: Sihore PI Bharwad started the Rath Yatra by pulling the chariot

દેવરાજ

સિહોરમાં ભગવાન જગન્નાથજીની અંદાજે 5 કિલોમીટરની રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી જેમાં હજારોની સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. દરમિયાન સિહોર પોલીસ પીઆઇ ભરવાડે રથ ખેંચીને ધન્યતા અનુભવી હતી. બીજી બાજુ રથયાત્રા વખતે કોઈ જ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બની જાય અને જગન્નાથજીનો રથ હર્ષોલ્લાસ સાથે શહેરમાંથી પસાર થાય તે માટે દરેક વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

સાથે જ પોતે પણ છેવટ સુધી બંદોબસ્તમાં ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન જગન્નાથજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. આ ઉપરાંત શહેરમાં કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય તેઓ તેમાં ભાગ લેવાનું ક્યારેય ચૂકતા નથી ત્યારે આજે પણ તેમણે રથયાત્રામાં ભાગ લીધો હતો.

Continue Reading
Advertisement
error: Content is protected !!