Connect with us

Bhavnagar

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવાનો કાર્યક્રમ ભાવનગરના શિવ કુંજ આશ્રમ, અધેવાડા ખાતે યોજાયો

Published

on

in-the-virtual-presence-of-prime-minister-narendra-modi-a-program-to-distribute-ayushyamaan-cards-was-held-at-shiv-kunj-ashram-adhewada-bhavnagar

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યમાં ૫૦ લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવાનો કાર્યક્રમ ગઇકાલે ભાવનગર તાલુકામાં અધેવાડા ખાતે આવેલાં શિવકુંજ આશ્રમ મેદાન ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમને આશ્રમના સીતારામબાપુએ દીપપ્રાગટ્ય કરીને ખુલ્લો મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, ધાર્મિક જગ્યા પર સમાજ સેવાની આ ધૂણીની શરૂઆત કરવામાં આવી છે તેનો આનંદ છે.

in-the-virtual-presence-of-prime-minister-narendra-modi-a-program-to-distribute-ayushyamaan-cards-was-held-at-shiv-kunj-ashram-adhewada-bhavnagar

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી શરૂ થયેલું આયુષ્યમાન કાર્ડ સમાજના ગરીબ-વંચિત લોકો માટે દિવાળીનો મોટો ઉપહાર લઇને આવ્યું છે. સમાજમાં જે સેવાની મશાલ વડાપ્રધાનશ્રી જગાવી રહ્યાં છે તે અદભૂત છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર આરોગ્ય તંત્ર દ્વારા ખૂબ જહેમત ઉઠાવી હતી. કાર્ય ક્રમને સફળ બનાવવા બદલ તાલુકા હેલ્થ ઓફિસર ડો. લાખાણી અને તેમની ટીમ દ્વારા ખૂબ જહેમત ઉઠાવવામાં આવી હતી.

– સુનિલ પટેલ

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!