Connect with us

Bhavnagar

કરૂણાંતિકા : તળાજા હાઇવે મરણચીસો થી ગુંજી ઉઠ્યો : 4ના મોત

Published

on

tragedy-talaja-highway-echoes-with-screams-4-dead

શેત્રુંજી પુલ પાસે કાર અને આઇસર વચ્ચે ધડાકાભેર અકસ્માતમાં 4ના કરુણ મોત, અકસ્માત કારના ફુરચા ઉડ્યા : પોલીસે હાથ ધરી તપાસ

ભાવનગર-તળાજા હાઈવે પર ભયાનક અકસ્મતા સર્જાયો છે. ભાવનગર-તળાજા હાઈવે પર શેત્રુંજી પુલ પાસે કાર અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકોના મૃત્યુ નીપજ્યાં છે. રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માતના બનાવો સામે આવતા રહે છે અને આ કરુણ બનાવમાં નિર્દોષ વ્યક્તિઓને પણ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. ઝડપની મજા મોતની સજા બનતા થોડી ક્ષણ પણ લગતી નથી. ત્યારે હાલ ભાવનગર જિલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.

tragedy-talaja-highway-echoes-with-screams-4-dead

ભાવનગર-તળાજા હાઈવે પર શેત્રુંજી પુલ પાસે કાર અને આઈસર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે. જેમાં 4 લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યાં છે. મળતી માહિતી અનુસાર, ભાવનગર તળાજા નેશનલ હાઈવે શેત્રુંજી પુલ પાસે કાર અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો છે, આ અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા છે.  આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે. અકસ્માત એટલો ભયાનક હતો કે, કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

tragedy-talaja-highway-echoes-with-screams-4-dead

કારના આગળના બોનેટથી લઈને સમગ્ર કારનો કચરઘાણ વળી ગયો હતો. આ દુર્ઘટનામાં 4 લોકોના કરુણ મોત નિપજતા શોકનો માહોલ પ્રસર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં તમામ મૃતકો મહુવાના નેપ ગામના હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આ અકસ્માત અંગે મૃતકોના પરિવારજનોને જાણ કરીને તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!