Bhavnagar
કાલે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરમાં – જંગી જાહેર સભા

બરફવાળા
- કાલે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરમાં – જંગી જાહેર સભા
- મોદીની ભાવનગરની સભાને લઇ ચૂંટણી પ્રચારમાં આવશે ગરમાવો : પીએમ મોદીના આગમન પૂર્વે અભેદ સુરક્ષા કવચ
ભાવનગરની વિધાનસભાની ચુંટણી લડી રહેલા ઉમેદવારોના સમર્થનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે બુધવારે સાંજે પ્રચારસભાને સંબોધન કરશે . વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાંજે ૬ વાગે ચિત્રા ખાતે યોજાનારી પ્રચારસભા અને વડાપ્રધાનની મુલાકાતને લઈ પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે કાલે સાંજે ૬ કલાકે ચિત્રા સ્થિત સ્વામિનારાયણ મંદિરની પાછળ આવેલા વિશાળ ગ્રાઉન્ડમાં વડાપ્રધાન ચૂંટણીની જંગી જાહેર સભા કરશે.
જેને સફળ બનાવવા શહેર અને જિલ્લા ભાજપનું સંગઠન તૈયારીમાં જાેતરાઇ ગયું છે. સભા સ્થળે વિશાળ ડોમ અને ખુરશીઓ ગોઠવવાની કામગીરી પુરજાેશમાં ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લામાં ૭ પૈકી તળાજાને બાદ કરતા તમામ ૬ બેઠક પર ગત ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો ત્યારે ભાજપનો ગઢ જાળવી રાખવા વડાપ્રધાન મોદી પ્રચાર-પ્રસાર કરશે. ખાસ કરીને આ વખતે ભાવનગર પશ્ચિમમાં કશ્મકશ જણાઇ રહ્યું છે ત્યારે વડાપ્રધાનની આ સભા માટે પશ્ચિમ વિસ્તારની પસંદગી કરાઇ હોવાનું જાણવા મળ્યું છે