Connect with us

Bhavnagar

ભાવનગરમાં જર્જરીત ઈમારત ધરાશાયી થવા મુદ્દે શક્તિસિંહે ઉઠાવ્યા સવાલ, કહ્યું સત્તાધિશો માત્ર નોટિસ આપી જવાબદારીમાંથી છટકી ન શકે

Published

on

Shaktisingh raised questions about the collapse of a dilapidated building in Bhavnagar, saying that the authorities cannot escape responsibility by just issuing a notice.

કુવાડીયા

ભાવનગરના વાઘાવાડી વિસ્તારમાં ઈમારત ધરાશાયી થવા મુદ્દે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. શક્તિસિંહે જણાવ્યુ છે કે પાલિકા માત્ર નોટિસ આપી જવાબદારીમાંથી છટકી ન શકે. ભાવનગર માધવ હિલ કોમ્પલેક્સના બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થયો. જેમાં અનેક લોકો દટાયા હતા. આ બિલ્ડિંગનો જર્જરીત ગેલેરીનો ભાગ ધરાશાયી થતા એક મહિલાનું મોત નિપજ્યુ છે. આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે.

Shaktisingh raised questions about the collapse of a dilapidated building in Bhavnagar, saying that the authorities cannot escape responsibility by just issuing a notice.

તેમણે જણાવ્યુ છે કે આ એક અતિ ગંભીર પ્રકારની બેદરકારી છે અને તંત્ર માત્ર નોટિસ આપી જવાબદારીમાંથી છટકી ન શકે. શક્તિસિંહે સવાલ ઉઠાવ્યો છે કે પાલિકા નોટિસ આપે છે એનો અર્થ એ થયો કે એમને પહેલેથી જાણ હતી જ કે બિલ્ડિંગ જર્જરીત છે અને પડવાની શક્યતા છે. માત્ર નોટિસ આપ્યા બાદ બેસી રહેવુ એ પણ ગુનાહિત બેદરકારી છે. શક્તિસિંહે જણાવ્યુ કે તમારે આનુવંશિક પગલા લેવા જોઈતા હતા. પાલિકાને જ્યારે જાણ થઈ કે ઈમારત જર્જરીત છે અને નોટિસ આપો છો તો એ આપ્યા બાદ પણ એ વિસ્તાર કદાચ ધરાશાયી થાય તો કોઈને પણ નુકસાન ન થાય તે જોવાની તકેદારી રાખવાના પગલા પાલિકાએ નથી ભર્યા તે હકીકત છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!