Connect with us

Sihor

સિહોર તાલુકાના ટોડા ગામે સિંહની લટારથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો

Published

on

in-toda-village-of-sihore-taluk-the-lions-walk-caused-excitement-among-the-villagers

પવાર

  • વનવિભાગની ટીમે સિંહને પાંજરે પુરવા તજવીજ હાથ ધરી, ઘનશ્યામસિંહની વાડીમાં સિંહે વાછરડાનું મારણ કર્યું

સિહોર તાલુકાના ટોડી ગામે સિંહે પશુનું મારણ કરી મિજબાની માણી હતી. ત્યારે આ ઘટનાને લઈ ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે. સિંહને પકડી જંગલ વિસ્તારમાં ખસેડવાની માગ કરવામાં આવી છે. ત્યારે આ ઘટનાને પગલે વનવિભાગની ટીમે સિંહને પાંજરે પુરવા તજવીજ હાથ ધરી છે. ગ્રામ્ય વિસ્તારમાં સિંહની લટારે લોકોમાં ભય ફેલાયો છે જિલ્લામાં આવેલા બૃહદગિરનો વ્યાસ તંત્ર-સરકાર દ્વારા વિસ્તારમાં વધારવામાં ન આવતાં આ અરણ્યોમાં વસતાં રાની પશુઓ પોતાની વિસ્તારમાં ઓળંગી છાશવારે માનવ વસાહતો તરફ વળી રહ્યાં છે, છેલ્લા ઘણા સમયથી ગોહિલવાડના અનેક ગામડાઓમાં સિંહ, દિપડાઓનો કાયમી વસવાટની બાબત સામન્ય બની છે.

in-toda-village-of-sihore-taluk-the-lions-walk-caused-excitement-among-the-villagers

ત્યારે છેલ્લા ઘણાં દાયકાઓથી ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકામાં સિંહ કે દિપડાઓનું કોઈ જ અસ્તિત્વ જ ન હતું, પરંતુ હાલમાં સિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહની લટાર જોવા મળી હતી. સિંહોર તાલુકાના ટોડી ગામે ઘનશ્યામસિંહ માલીકીની વાડીમાં વાછરડી ચરતી હોય એ દરમિયાન એક સિંહે આ વાછરડીનું મારણ કરી મિજબાની માણી હતી. આ બનાવની જાણ ઘોડીના માલિક તથા સરપંચ સહિતનાઓને થતાં ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળપર દોડી આવ્યાં હતા અને વનવિભાગને જાણ કરતાં સિહોર ફોરેસ્ટ રેન્જ ના અધિકારીઓ સ્થળપર દોડી આવ્યાં હતાં. એ સાથે સિંહનું લોકેશન મેળવવા તજવીજ હાથ ધરી હતી. આ ઘટનાને પગલે ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે. સમગ્ર ઘટનાને ગામના સરપંચ શક્તિસિંહ ગોહિલે સમર્થન આપ્યું હતું

error: Content is protected !!