Bhavnagar
વડાપ્રધાનની મુલાકાતના પગલે તૈયારીઓનું નિરીક્ષણ કરતાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી
![Education Minister Jitu Vaghani inspecting the preparations following the Prime Minister's visit](https://shankhnadnews.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-24-at-8.59.55-PM.jpeg)
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા. ૨૯ મી ના રોજ ભાવનગરની એક દિવસીય મુલાકાતે પધારવાના છે. આ દરમિયાન તેઓની જવાહર મેદાન ખાતે જંગી સભા યોજાવાની છે. વડાપ્રધાનશ્રીને આવકારવાં માટે તૈયારીઓ તંત્ર દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે.
આ તૈયારીઓનું નિરીક્ષણ કરવાં અને જરૂરી માર્ગદર્શન આપવાં માટે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી મોડી સાંજે જવાહર મેદાન પહોંચ્યાં હતાં.
તેમણે જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા અને જિલ્લા પોલીસ વડાશ્રી ડો. રવિન્ર્ય પટેલ અને જિલ્લાના વરિષ્ટ અધિકારીઓ પાસેથી તૈયારીઓ, બેઠક વ્યવસ્થા, સુરક્ષા સહિતના મુદ્દાઓ પર ઉપસ્થિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં વડાપ્રધાનશ્રીને આવકારવાં માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જિલ્લાના નાગરિકો પણ વડાપ્રધાનશ્રીને ભવ્ય આવકાર આપવાં માટે થનગની રહ્યાં છે.