Sihor
સિહોરના સરવૈયા પરિવારના મોભીની પુણ્યતિથી એ ભીમ ભજન અને બુદ્ધવંદના કાર્યક્રમ યોજાશે
![a-bhima-bhajan-and-buddhavandana-program-will-be-held-on-the-death-anniversary-of-mobhi-of-the-sarvaiya-family-of-sihore](https://shankhnadnews.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-14-at-12.16.54-PM.jpeg)
કાલે સંતો મહંતો આગેવાનો અગ્રણીઓની ઉપસ્થિતિમાં સરવૈયા પરિવારના આંગણે ભક્તિ થી રસબોળ કાર્યક્રમ, મહાપ્રસાદ અને ભજન કાર્યક્રમ
સિહોરના ગુંદાળા નજીક આવેલ નંદનવન પાર્ક સોસાયટી ખાતે સરવૈયા પરિવાર આયોજિત ભક્તિથી રસબોળ ભીમ ભજન અને બુદ્ધવંદના કાર્યક્રમ યોજાશે જેમાં સંતો મહંતો અગ્રણીઓ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે દલિત સમાજના આગેવાન અને અધિકાર મંચના અગ્રણી માવજી સરવૈયાના પિતાશ્રી સ્વ કાળુભાઇ સરવૈયાની આવતીકાલે પુણ્યતિથી છે જે નિમિત્તે સિહોર ખાતેના એમના નિવાસસ્થાન ભાવનગર રોડ ગુંદાળા નંદનવન પાર્ક સોસાયટી ખાતે ભીમભજન અને બુદ્ધવંદના કાર્યક્રમનું આયોજન કરેલું છે જેમાં મહાપ્રસાદ સાથે ભીમભજન પણ કાર્યક્રમ યોજાનાર છે જે કાર્યક્રમના કલાકાર જયસુખભાઈ સોલંકી, છાયા વાઢેર, બાબુભાઇ ભાલિયા, બાબુલાલ બારોડ સહિતના કલાકારો ઉપસ્થિત રહેશે અહિં ખાસ મહંત કલ્યાણદાસ બાપુ (રામણકા) તેમજ ગુરૂપ્રકાશ બાપુ વિશેષ હાજરી આપશે સાથે સમગ્ર ગુજરાતમાંથી અગ્રણી આગેવાનોને સરવૈયા પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવાયું છે