Bhavnagar
સિહોર શહેરમાં ત્રણ દિવસ પાણી પુરવઠો અનિયમિત રહેશે

દેવરાજ
સિહોર શહેરમાં ત્રણ દિવસ પાણી પુરવઠો અનિયમિત રહેશે ચીફ ઓફિસરની યાદીમાં જણાવ્યું છે. તા 20 21 અને 22 દરમિયાન દરેક જગ્યાએ મહીપરીની પાણીની લાઈનનુ રીપેરીંગ કામ કરવાનું હોવાથી આ ત્રણ દિવસ સુધી શહેરની જનતાને મહીપરીનુ પાણીની સપ્લાય બંધ રહેશે જેની શહેરીજનોએ નોંધ લેવી અને જે કોઈ વિસ્તારની અંદર સપ્લાયનો પાણીનો વારો હોય તેઓને રીપેરીંગ થઈ ગયા બાદ રેગ્યુલર રાબેતા મુજબ પાણી આપી દેવામાં આવશે તો આ ત્રણ દિવસ સુધી મહી પરી પાણીની લાઈન બંધ રહેશે જેની સર્વે નોંધ લી સિહોર નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી બી.એચ મારકણા દ્વારા જણાવવામાં આવ્યું છે