Connect with us

Bhavnagar

કાલે ‘ભર્યુ’ નાળીયેર વધેરાશે : પરિણામનો ‘પ્રસાદ’ વહેંચાશે

Published

on

Tomorrow the 'Bharyu' canal will be increased: the 'Prasad' of the result will be distributed

કુવાડિયા

  • જીસ કા હમે હૈ ઇંતઝાર, જીસ કે લિએ દિલ હૈ બેકરાર (ઉત્‍સુક), વો ઘડી આ ગઇ… : ભાવનગર જિલ્લાની ૭ સહિત ગુજરાતની ૧૮૨ બેઠકોની કાલે મત ગણતરી : ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના ઉમેદવારોને જીતની આશા

તા.૧ ડિસેમ્‍બર અને તા.૫ ડિસેમ્‍બરના રોજ વિધાનસભાની ચૂંટણી અન્‍વયે થયેલ મતદાનની મતગણતરીનો આવતીકાલે તા.૮ ડીસેમ્‍બરના રોજ સવારે ૮ વાગ્‍યે પ્રારંભ થશે. ભાવનગર જિલ્લાની 7 બેઠકોમાં પડેલ મતદારોનો પટારો ખુલશે. કઇ બેઠકમાં કોણ બાજી મારશે તેની ભારે ઉતેજના જોવા મળી રહી છે. ભાવનગર જિલ્લાની સાત બેઠકમાં ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉમેદવારો ચૂંટણી લડયા હતા. તમામા ઉમેદવારો જીતનો દાવો કરી રહ્યા છે.મતદાન પછીના ન્‍યુઝ ચેનલોના એકઝીટ પોલમા રસાકસીનાં તારણ દર્શાવાયા છે. ખાસ કરી ભાવનગર જિલ્લામાં પરિવર્તન થાય છે કે, પુનરાવર્તન? તે કાલ બપોર સુધીમાં ખબર પડી જશે. ગુજરાતમાં છેલ્‍લા ૨૭ વર્ષથી ભાજપ સતા પર છે. આ વખતે સમગ્ર રાજયમાં પ્રથમ વખત ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્‍ચે ત્રીપાંખીયો જંગ જામ્‍યો હતો. ભાવનગર જિલ્લાની સાત વિધાનસભાની પૈકી છ બેઠકો ભાજપ પાસે છે. આવતીકાલે ગુજરાત અને હિમાચલ પ્રદેશનું પરિણામ છે. સતા પરિવર્તન કે પુનરાવર્તન તે બાબત અનેક દાવા-પ્રતિદાવા, અટકળો, શરતો વગેરે થઇ રહી છે. કાલે જનાદેશ જાહેર થશે.

error: Content is protected !!