Sihor
સતત પાણીની તંગીમાં જીવતા સિહોરમાં માનવતાનો દુકાળ નથી : ગોપાલક સમાજ સેવા ગ્રુપે કર્યું આ કામ

દેવરાજ
પાણીની તંગીનો સતત સામનો કરતા સિહોરમાં માનવતાએ બારે મેઘ ખાંગા કરી હોય તેવી સ્થિતિ છે સિહોરનું ગોપાલક સમાજ સેવા ગ્રુપ દ્વારા ભરવાડ સમાજના જરૂરિયાત મંદ લોકો માટે આશરો બાંધવાનું કામ કરી રહ્યા છે સાગવાડી ગામે આજરોજ આ ગ્રુપના સભ્યો દ્વારા સાગવાડી મુકામે જરૂરિયાત મંદ વિધવા બેન કે જેઓ ખરેખર ખૂબ જ જરૂરિયાત વ્યક્તિ છે ત્યારે આજરોજ આ ગ્રુપ દ્વારા તેઓના ઘરની રૂબરૂ મુલાકાત કરીને જોવામાં આવતા આ વિધવા બહેન ખેત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે આજરોજ આ ગ્રુપ દ્વારા આ બેનના ઘરની મુલાકાત કરીને જેઓને મકાન બનાવી આપવા માટેનું કામગીરી હાથ ધરવામાં આવી હતી
માટે આ ગ્રુપ દ્વારા બેન ને મકાન બનાવી આપશે ગોપાલક ભરવાડ સમાજ સેવા ગ્રુપ અનેક અલગ અલગ પ્રવૃત્તિઓ કરે છે જેમાં જરૂરિયાત મંદ દીકરીઓને કન્યાદાન વિધવા બહેનો તેમજ જરૂરિયાતમંદ લોકોને પોતાના ઘરે માટેની કીટ પણ આપવામાં આવે છે ત્યારે ખરેખર આ ગ્રુપ દ્વારા જે આ કામગીરી કરવામાં આવી રહી છે તે ખરેખર ખૂબ જ સરાહનીય કામગીરી છે આ ગ્રુપ દ્વારા અગાઉ અલગ અલગ ગામની અંદર ચારથી વધુ મકાનો બનાવી આપવામાં આવ્યા છે અને જરૂરિયાત લોકોના ઘરે કીટ પણ વિતરણ કરવામાં આવી રહી છે
આ ગ્રુપના સંચાલક કરતા હરેશભાઈ ચોહલા દ્વારા જાણવા મળેલ કે આ ગ્રુપ સમસ્ત ભરવાડ સમાજ ના યુવાનો દ્વારા આ સેવાકીય કાર્યો કરવામાં આવે છે ગોપાલક સમાજ સેવા ગ્રુપ દ્વારા આ ચોથુ મકાન બનાવવામાં આવશે આની પેલા ત્રણ મકાન બનાવી સુકયા છે અને ભરવાડ સમાજ માં નાના માં નાનો વ્યક્તિ કોઈ હોસ્પિટલ માં હોઈ એમને પણ મદદ કરે છે અને નિરાધાર દીકરી માટે કરિયાવર કરવામાં આવે સે આ ગ્રુપ ના સભ્યો આજરોજ સ્થળ પર રૂબરૂ તપાસ માં આવી મકાન નું કામ હાથ ધર્યું છે. આવા ભગીરથ કાર્ય ની અંદર આ ગ્રુપના સભ્યો . હરેશભાઈ સોહલા અને કિશનભાઈ ચાવડા અને મેહુલભાઈગોલતર અને વિક્રમભાઈ લામકા અને દેવાભાઈ બુધેલીયા હાજર રહ્યા હતા