Bhavnagar
સિહોરના સોનગઢ ગામે ડીઆઈજીના માર્ગદર્શન હેઠળ મહિલાઓને નિર્ભય બનાવતો સેમિનાર યોજાયો.
![Songadh village of Sihore conducted a seminar on making women fearless under the guidance of DIG.](https://shankhnadnews.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-20-at-7.42.39-PM.jpeg)
દેવરાજ
- સોનગઢ પોલીસ દ્વારા મહિલા સુરક્ષા સેમીનાર યોજવામા આવ્યો હતો
ભાવનગર જિલ્લામાં 10 દિવસમાં બનેલી બે મહત્વપૂર્ણ ઘટના જેમાં મોટા સુરકા અને હાથબ ગામે બે દિકરીઓએ આવારા તત્વોના ત્રાસથી પોતાનું જીવન ટુકવવા આત્મહત્યા નો પ્રયાસ કર્યો જેમાં એક સગીરા નું મોત જ્યારે એક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ છે, આવી પરિસ્થિતિને લઈ પોલીસ મહાનિરીક્ષક ગૌત્તમ પરમાર -ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક રવિન્દ્ર પટેલ દ્વારા મહિલા સુરક્ષા અંગે જાગ્રુતી લાવવા સુચના આપેલ. જે અનુસંધાને મીહીર બારીયા નાયબ પોલીસ અધિક્ષક પાલીતાણા તથા જે. આર.ભાચકન- સર્કલ પો.ઇન્સ પાલીતાણાનાઓના માર્ગદર્શન મુજબ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ દયાનંદ કન્યા વિધાલય ખાતે પો.સબ.ઇન્સ. વી.વી.ધાંગુ સાહેબ તથા શી.ટીમના માણસો સાથે રાખી સેમિનાર યોજવામા આવ્યો જેમા સ્કુલ કોલેજ તેમજ કામકાજ સબબ જતી આવતી વર્કિંગ વુમનને કોઇ આવારા તત્વો હેરાન પરેશાન કરે નહિ અને એવી કોઇ નાની મોટી સમસ્યા હોય તેમજ સ્કૂલની આસપાસ રોમીયોગીરી કરતા કોઇ આવારા અસમાજીક તત્વોની હેરાનગતી હોય તો કોઇપણ જાતની મુજવણ અનુભવ્યા વિના પોલીસ સ્ટેશન કે મહીલા હેલ્પલાઇન તેમજ શી ટીમ ને જાણ કરવી
જે અનુસંધાને અસરકારક પગલા લેવામા આવશે તેમજ પોતાની સમસ્યા બાબતે બદનામીની મુજવણ અનુભવવી નહીં ફરીયાદ કરનારનુ નામ ગુપ્ત રાખવામા આવશે તેમજ તાજેતરમા જીલ્લામા બનેલ છેડતીના બનાવ અનુસંધાને કોઇ મહીલાએ અસુરક્ષીત અનુભવવુ નહી તેમજ શાળા કોલેજની વિધાર્થિનીઓને તેઓને થતી હેરાનગતી પરેશાની પજવણી બાબતે તેઓના વાલીવારસ તેમજ શાળા કોલેજના શિક્ષકોને નિસંકોચ વાત કરવા તેમજ મહીલા અત્યાચારના અને છેડતીના બનાવો બનતા અટકે તે હેતુથી યોગ્ય માર્ગદર્શન આપવામા આવ્યુ તેમજ અસમાજીક તત્વોને નીયત કરવા માટે તેમજ મહિલાઓમા જાગ્રુતિ આવે અને નિસંકોચ અને નિર્ભય રીતે ફરીયાદ રજુઆત કરી શકે તે માટે સોનગઢ પોલીસ સ્ટેશન દ્વારા સોનગઢ કન્યા વિધાલય ખાતે મહીલા જાગૃતી અને સુરક્ષા માર્ગદર્શન સેમિનાર યોજવામા આવ્યો હતો