Connect with us

Sihor

સિહોર ; મકાનનાં સોદામાં સાક્ષી બનેલા શિક્ષક પાસેથી વ્યાજખોરોએ રૂા.43.28 લાખ પડાવ્યા

Published

on

sihor-the-usurers-extorted-rs-43-28-lakhs-from-the-teacher-who-became-a-witness-in-the-house-deal

પવાર

  • ત્રણ વ્યાજખોરો સાથે માર માર્યાની એટ્રોસીટીની ફરિયાદ

સિહોરના ગૌતમેશ્ર્વરનગરમાં રહેતા અને સોનગઢ ગામમાં આવેલ પ્રાથમિક ક્ધયાશાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા આધેડે તેના પાડોશીના મકાન વેચાણના દસ્તાવેજમાં સાક્ષી તરીકે સહી કરેલ હોય,પરંતુ આ મકાન તેના પાડોશીએ અગાઉ અન્ય કોઈને વેચી નાખેલું હોય આથી ખરીદ કરનાર સોનગઢના શખ્સોએ શિક્ષકને ધાકધમકી આપી બળજબરીપૂર્વક રૂ. 43.28,000 પડાવી લઈ સિહોર મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં માર મારી, જ્ઞાતિ વિશે અપમાનિત કરતા આખરે શિક્ષકે સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ સિહોરમાં આવેલ મહાગૌતમેશ્ર્વરનગર, પ્લોટ નં. 46 માં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની અને સોનગઢમાં આવેલી પ્રાથમિક ક્ધયાશાળામાં છેલ્લા 22 વર્ષથી શિક્ષક તરીકે નોકરી કરતા દલસિંહ સેવાભાઈ મેડા જાતે ભીલ ના પાડોશી પંકજભાઈ પોપટભાઈ રાજ્યગુરુને દીકરાની શૈક્ષણિક ફી ભરવા માટે પૈસાની જરૂર હોય તેમણે સોનગઢમાં રહેતા અને વ્યાજવટાવનું કામ કરતા નીરવ ભરતભાઈ લુણી અને તેના કાકા અશોક વશરામભાઈ લુણી પાસેથી રૂપિયા એક લાખ 10 ટકાના વ્યાજે અપાવ્યા હતા, બદલામાં પંકજભાઈનું મકાન ગીરવે મૂકેલું તેમાં તેમણે સાક્ષી તરીકે સહી કરી હતી. વ્યાજે નાણા આપનાર સોનગઢના નિરવભાઈને પંકજભાઈ રાજ્યગુરુનું મકાન પસંદ પડતા તેમણે રૂપિયા 15 લાખમાં આ મકાન ખરીદ કર્યું હતું અને નીરવ તથા તેના કાકા અશોકભાઈ પંકજભાઈ રાજ્યગુરુને પૈસા દેવા આવ્યા ત્યારે સાક્ષી તરીકે એમણે સહી કરી હતી.

sihor-the-usurers-extorted-rs-43-28-lakhs-from-the-teacher-who-became-a-witness-in-the-house-deal

દરમિયાન થોડા સમય બાદ નિરવભાઈ અને તેના કાકા અશોકભાઈએ આવીને દલસિંહને કહ્યું હતું કે પંકજભાઈ રાજ્યગુરુ નું મકાન જે અમે ખરીદ કરેલ છે તે પહેલેથી જ તેમણે કોઈ અન્યને વેચી દીધું છે, અને અમે આપેલો રૂ.11.50 લાખનો ચેકના નાણાં પણ તેમને ઉપાડી લીધા છે. આ સોદામાં તમે સાક્ષી હતા આથી આ પૈસા હવે તમારે ભરવા પડશે. નહીં આપો તો તમારી વિરુદ્ધ અમે ફરિયાદ કરીશું એમ કહેતા તેમણે તેમની કાર અને મકાન મળી કુલ રૂપિયા 15 લાખ નીરવ અને અશોકભાઈ લુણીને ચૂકવવા માટેનું લખાણ વકીલ પાસે કરાવ્યું હતું. જેની એક નકલ વકીલે અને બીજી નકલ સામાવાળાએ રાખી હતી. આ રકમ ચૂકતે થાય ત્યાં સુધી ત્રણ ટકા લેખે માસિક રૂપિયા 45,000 વ્યાજ ચૂકવવાનું નક્કી થતાં તેઓ વ્યાજની રકમ ચૂકવી હતી. રકમ ચૂકતે થયા બાદ આ બંને શખ્સે નાણા પરત મળી ગયાનું જણાવ્યું હતું, પરંતુ પહેલા રૂપિયા એક લાખ પંકજભાઈને આપ્યા હતા તેનું વ્યાજ હજી બાકી છે તે વ્યાજના રૂપિયા 24 લાખ આપવા પડશે તેમ કહી મકાનની નોટરી કરાવી હતી, આ પ્રકારે કટકે ખટકે રૂ. 43.28 લાખ બળજબરીથી પડાવી લીધા હતા. પૈસાની વ્યવસ્થા કરવા માટે દલસિંહ એ તેમની કાર તથા પાડોશી પાસેથી તેમજ દીકરી પાસેથી ઉછીની રકમ લીધી હતી જે મળી રૂ.11 લાખ તેમજ બાકીના રૂપિયા 13 લાખનો મકાનનો સાટાખર શૈલેષભાઈ ડોસલભાઈ લુણીના નામે કરાવી આપી રૂ.24 લાખ વ્યાજના ચુકવ્યા હતા. આ ઉપરાંત તેમણે એક કાર પણ ખરીદ કરાવી હતી જેના હપ્તા પણ તેઓ ભણતા હતા. દરમિયાન તારીખ 15/7 ના રોજ તેમનું મકાન જે શૈલેષભાઈ ડોસલભાઈ લુણીએ લીધું હતું તેમણે તેમને વિનંતી કરતા તેઓ શિહોર સબ રજીસ્ટાર કચેરીએ દસ્તાવેજ રદ કરાવ્યો હતો. આ વાતની જાણ થતા નીરવ લુણી, તેના કાકા અશોકભાઈ લુણી અને રઘુભાઈએ સિહોર મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં તેમને માર મારી ગાળો આપીને આપી જ્ઞાતિ વિશે અપમાનિત કરતા તેમણે ત્રણેય વિરુદ્ધ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

error: Content is protected !!