Connect with us

Bhavnagar

ભાવનગર ગ્રામ્યના કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલ હોસ્પિટલના બિછાનેથી વીડિયો કોલ કરી કાર્યકરોનો જુસ્સો વધાર્યો

Published

on

Revatsinh Gohil, the Congress candidate from Bhavnagar Gramya, made a video call from the hospital bed and raised the passion of the workers.

કુવાડિયા

ભાવનગર ગ્રામ્યના કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલ હોસ્પિટલના બિછાને ; વીડિયો કોલ કરી કાર્યકરોનો જુસ્સો વધાર્યો

રાજ્યમાં હવે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. મતદાનને હવે હવે માત્ર ગણતરીની કલાકો બાકી છે ત્યારે રાજકીય પક્ષો પોતાના ઉમેદવારના પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.ત્યારે ભાવનગર ગ્રામ્ય બેઠકના રેવતસિંહ ગોહિલના સમર્થનમાં મધ્યસ્થ કાર્યાલય ખાતે આજે સવારે કાર્યકરો બેઠકનું આયોજન કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલેએ હોસ્પિટલ ખાતેથી વીડિયો કોલ મારફતે કાર્યકરો સાથે વાત કરી હતી, ભાવનગર ગ્રામ્ય બેઠકના કૉંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલ ગઈકાલે હાર્ટએટેક આવતા તેમને તાત્કાલીક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

revatsinh-gohil-the-congress-candidate-from-bhavnagar-gramya-made-a-video-call-from-the-hospital-bed-and-raised-the-passion-of-the-workers

મતદાનના ગણતરીના કલાકો પહેલા જ રેવતસિંહને હાર્ટએટેક આવતા તેમના સમર્થકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પણ કોંગ્રેસના આગેવાનો-કાર્યકરોની આજે બેઠક મળી અને જણાવ્યું કે તમામ કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો રેવતસિંહ છે તમે ચિંતા ન કરતા અમે બધા તમારી સાથે જ છીએ, અને વહેલીતકે પોતાના નેતા સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. ડોકટર અને કોંગ્રેસના આગેવાનો દ્રારા સમજાવી આરામ કરવા સલાહ આપી છે રેવતસિંહે હોસ્પિટલ ખાતેથી રજા લઈને આવવાના હતા પણ ડોક્ટરે તેને રજા ન આપતા તેઓએ પણ આજે કળિયાબીડ ખાતે મધ્યસ્થ કાર્યાલય ખાતે આગેવાનો કાર્યકરોની બેઠક જવા ના હતા પણ ડોકટર અને કોંગ્રેસના આગેવાનો દ્રારા તેને સમજાવી આરામ કરવા સલાહ આપી હતી, છતાં પણ તેઓ પોતાના કાર્યકરો આગેવાનો સાથે વીડિયોકોલ મારફતે પોતાના કાર્યકરો સાથે વાતચીત કરી હતી

Revatsinh Gohil, the Congress candidate from Bhavnagar Gramya, made a video call from the hospital bed and raised the passion of the workers.

અને કાર્યકરો-આગેવાનોએ પણ તેઓને જંગી બહુમતી વિજય બનાવવા આહવાન કર્યું હતું. ગ્રામ્ય બેઠકના ઉમદેવાર રેવતસિંહે બે દિવસ પહેલા સભા સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજકારણમાં છેલ્લા 25 વર્ષથી વધારે સેવા આપી છે. ઘોઘાના મતદારોને અડધી રાત્રે પણ હું હાજર હોવ છું અને હાલ મને ગામડાઓમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે, અને તમામ સમાજ મને ખૂબજ સહકાર આપી રહ્યા છે અને અત્યારે સુધીમાં 100થી વધુ ગામડાઓમાં પ્રચાર કર્યો છે આ જોતા જંગી બહુમતીથી વિજય થશે.

Advertisement
error: Content is protected !!