Sihor
સિહોર જુમ્મા મસ્જિદ પાસે ઊભરાતી ગટરના પાણીથી તળાવના દૃશ્યો સર્જાય છે ; નમાઝીઓ પરેશાન

પવાર
એક તરફ રમજાન માસ ચાલે છે, ગટરના પાણી માંથી પસાર થતા નમાઝીઓ પરેશાન છે, ગંદા પાણી માંથી નાછૂટકે પસાર થવાની નોબત, વહેલી તકે યોગ્ય કરવાની તાકીદે જરૂર
સિહોર શહેરના વોર્ડ 6 જુમ્મા મસ્જિદ પરના રોડમાં બારેમાસ ગટરના ગંદા પાણી ઉભરાતા હોવાની ફરિયાદો ઉઠી છે. જેને કારણે સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. અહીં નમાઝ અદા કરવા આવતા નમાઝીઓને ગંદા પાણીમાંથી ફરજ્યિાતપણે પસાર થવુ પડે છે. વળી આ પાણીમાંથી આવતી અસહ્ય દુર્ગંધ પણ સ્થાનિકો અને રાહદારીઓ માટે માથાના દુઃખાવો સમાન બની છે. સત્વરે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવું સૌ ઇચ્છી રહ્યા છે. અહીં રસ્તા પર બારેમાસ ગટરના પાણી ઉભરાઇ રહ્યા હોવાની ઘણી ફરિયાદો ઉઠી છે. જેને કારણે આ રસ્તા પર ગંદા પાણી કાયમ માટે ભરાયેલા જ રહે છે.
આ રસ્તે મસ્જિદ તરફ જવાય છે. જેને કારણે મોટી સંખ્યામાં નમાઝીઓને આ રસ્તેથી પસાર થતા હોય છે. પરંતુ ગટરના ગંદા પાણીને કારણે તેઓને ફરજ્યિાતપણે તેમાથી ચાલીને જવું પડે છે. હાલ રમજાન માસ ચાલે છે. ત્યારે ઈબાદત માટે દિવસમાં પાંચ વખત ફરજીયાત પણે મસ્જિદ ખાતે જવાનું હોય છે. વળી સ્કૂલ બાળકો અને શાળાએ જતા વિદ્યાર્થીનીઓને પણ અહીંથી જ પસાર થવાનું હોય છે. વળી ગટરના ગંદા પાણીની અસહ્ય દુર્ગંધ સતત ચાલુ હોય છે. જેને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ સમસ્યા માટે વારંવાર સંબંધિત કક્ષાએ ફરિયાદો કરી છે. પરંતુ કોઇ નિરાકરણ આવતું નથી. અહીં સતત પાણી રહેતું હોવાના કારણે આ સમગ્ર રસ્તા ઉપર પાણીના કારણે ગંદકીનું સામ્રાજ્ય જણાઈ રહ્યું છે આ અંગે નગરપાલિકાનું ગટર વિભાગ દ્વારા તાકીદે રીપેરીંગ કરી તેને દુરસ્ત કરવા અહીંના સ્થાનિક લોકો ઈચ્છી રહ્યા છે.