Bhavnagar
પ્રચારના શ્રી ગણેશ ; મહાસંપર્ક અભિયાન હેઠળ સિહોર ખાતે ભાજપ યુવા મોરચાની બાઇક રેલી

પવાર
- શહેરના ભાવનગર રોડ ગુંદાળાથી રેલી પ્રસ્થાન થઈ, મુખ્ય માર્ગો ઉપર થી રેલી નીકળી સમગ્ર શહેરમાં રેલી ફરી
સમગ્ર ગુજરાતમાં યુવા ભાજપ દ્વારા મહાસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.જે અંતગર્ત સિહોરના ગુંદાળાથી શહેર ભાજપ અને યુવા મોરચાના આગેવાનોની ઉપસ્થિતિમાં બાઈક રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની નજીક આવી રહી છે ત્યારે વિવિધ પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.ત્યારે ભાજપના જીલ્લાની સાતેય બેઠકો માટે ઉમેદવારો જાહેર થઈ ગયા છે.ત્યારે યુવા ભાજપ દ્વારા મહાસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
જે અંતગર્ત સિહોરના ભાવનગર રોડ ગૂંદાળાથી શહેર ભાજપના પ્રમુખ ડીસી રાણાની ઉપસ્થિતિમાં બાઈક રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.જે બાઈક રેલી ગુંદાળાથી નીકળી મુખ્ય માર્ગો ઉપર થી પસાર થઈ સમાપન થઈ હતી, યુવા મોરચાના રૂપેશ રોઝીયા, દિનેશ ઠાકોરે જણાવ્યુ હતું કે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે અને તેમાં ગુજરાતનો સહયોગ વધુ રહ્યો છે.તેને વધુ કેવી રીતે સશક્ત કરી શકાય અને મોદીના ખભા ને કેવી રીતે મજબૂત કરી શકાય તે માટે આ ચૂંટણી માં ભાજપ વધુને વધુ બેઠકો લાવે તેવી આશા વ્યક્ત કરી હતી. અહીં ડીસી રાણા, ઘનશ્યામભાઈ પરમાર, હરદેવસિંહ વાળા, નિલેશ જાની, ચતુરભાઈ રાઠોડ, રૂપેશ રોઝીયા, દિનેશ ઠાકોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા