Sihor
સિહોર શહેરમાં દિપડાની દહેશત – લોકોને રાતભરના ઉજાગરા

બુધેલીયા
શહેરમાં દિપડાના આંટાફેરા વધ્યા, વનવિભાગે અનેક પાંજરા મુક્યા છતાં પણ દીપડો હાથ નથી લાગતો
સિહોર શહેરને દીપડા પરિવારે પોતાનું નિવાસ્થાન બનાવ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. દીપડાને લઈને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી શહેરી વિસ્તારોમાં જંગલી પ્રાણીઓ જંગલ વિસ્તારોમાંથી પાલન કરતા હોય તેવી ઘટનાઓ સામે આવતી રહે છે. સિહોર શહેર અને તેની આજુબાજુ જંગલ વિસ્તાર નથી ત્યાં પણ અનેક વાર દીપડા આવી જવાની ઘટના બની છે સિહોરમાં છેલ્લા ઘણા દિવસોથી દીપડાના પરિવારે ધામા નાખ્યા છે અને આ પરિવાર પૈકીનું એકાદ સભ્ય બે-ત્રણ દિવસે એક મારણ કરતું રહે છે પરંતુ હવે જ્યારે શહેરી વિસ્તારમાં પણ દેખા દે છે ત્યારે નગરજનો ભારે મૂંઝવણમાં મુકાયા છે.
અને આખરે વન વિભાગે સિહોરી માતાના મંદિર પાસે પાંજરુ મૂક્યું છે પરંતુ ચાલાક દીપડા પાંજરે પુરાતા નથી આથી લોકોમાં ભય દૂર થતો નથી.ગઈકાલે સિહોરના રહેણાંકી વિસ્તાર મકાતના ઢાળમાં દીપડો દેખાતા લોકોના ભયમાંવધારો થયો છે અને આખરે વન વિભાગ પણ આ બાબતે સજાગ અને સતર્ક બની ગયું હોય તેમ લાગે છે અને આ દીપડાનો પરિવાર કોઇ જાનહાનિ કરે તે પહેલાં તેને પકડવા માટેની માંગ સિહોરમાં પ્રબળતર બની ગઇ છે અને આથી વન વિભાગે હવે પાંજરુ મૂકીને આ દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરી છે. પ્રગટનાથ ઢાળ પાસે ડુંગરમાં ઘાંચીવાડ પાસે દિપડો અને દિપડી ઘુસ્યા હોવાની માહિતી મળતા લોકો ફરી ભયના ઓથાર તળે આવી ગયા છે.