Sihor
કાલે દેવ ઉઠી અગિયારસ : સિહોર સાથે જિલ્લામાં ઠેર ઠેર તુલસી વિવાહની ઉજવણી

Pvar
- કાલે લોકો શેરડી લઈને પોતાના ઘેર તુલસી વિવાહ તથા આતશબાજી કરીને પર્વની ઉજવણી કરશે : સિહોર સહિત જિલ્લામાં પર્વ ઉજવણીનો અનન્ય ઉત્સાહ
આવતીકાલે કારતક સુદ પક્ષની અગિયારસ છે. તુલસી વિવાહની ઉજવણી થશે. કાલે સિહોર સહિત સમગ્ર જિલ્લામાં તુલસી વિવાહની ઉજવણી થશે. આ અગિયારસના દિવસે ધામધૂમથી તુલસીના વિવાહ ભગવાન શાલીગ્રામ સાથે કરવામાં આવે છે. કાલે દેવ ઉઠી અગિયાસરના ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપનો વિવાહ તુલસી સાથે કરાવવામાં આવે છે આવતીકાલે લોકો શેરડી લઈને પોતાના ઘેર તુલસી વિવાહનો પ્રસંગ ઉજવશે. દેવદિવાળીના લોકો આતશબાજી કરીને પર્વની ઉજવણી કરશે. હિંદુ ધર્મના સંતાનો ચાતુર્માસ કાળ આવતીકાલે પુર્ણ થશે.ધાર્મિક માન્યતા છે કે દેવ ઉઠી એકાદશીના ભગવાન શ્રીહરિ ચાર મહિનાની નિદ્રામાંથી જાગૃત થઈને પુન: ધરતી પર આવે છે. આવતીકાલ તુલસી વિવાહની ઉજવણી બાદ શુભ અને મંગલ કાર્યોની શરૂઆત થશે. ધાત્રા કારતક સુદ પુનમના દેવ દિવાળી મનાવે છે. ધાર્મિક માન્યતા છે કે દેવદિવાળીના દિવસે દેવી દેવતા પૃથ્વી લોક પર આવીને દિવાળી મનાવે છે.પૌરાણિક કથાઓ અનુસાર, જલંધર નામના શક્તિશાળી અસુરનો વિવાહ વૃંદા નામની એક ક્ધયા સાથે થયો હતો.
વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી. વૃંદાની ભક્તિ અને સતીત્વના બળ પર જલંધર અજેય બની ગયો. બધા દેવતા તેનાથી કંટાળી ચૂક્યા હતા. એકવાર તેણે પાર્વતી માતા પર કુદૃષ્ટિ નાખી તો ત્રિદેવોએ તેના વધની યોજના બનાવી. ભગવાન શિવે તેની સાથે યુદ્ધ કર્યુ જેમાં તેઓ હારી ગયા.બધા દેવતા દુ:ખી થઈને ભગવાન વિષ્ણુની શરણમાં પહોંચ્યા. વિષ્ણુએ પોતાની માયાથી જલંધરનો રુપ ધારણ કરી લીધુ. ત્યારબાદ તેમણે વૃંદાના સતીત્વને ભંગ કરી નાખ્યું તો જલંધરની શક્તિ ધીરે-ધીરે ક્ષીણ થવા લાગી અને તે દેવતાઓ સાથેના યુદ્ધમાં મરણ પામ્યો. ત્યાં સુધી વૃંદા વિષ્ણુ ભગવાનના છળને સમજી ચૂકી હતી. પતિના મોતથી દુ:ખી વૃંદાએ ભગવાન વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપી દીધો. જો કે દેવતાઓની વિનંતી અને માતા લક્ષ્મીની હાલત જોઈને વૃંદાએ પોતાનો શ્રાપ પાછો લઈ લીધો. પરંતુ ભગવાન વિષ્ણુ તેમના કર્યાનું પ્રાયશ્ચિત કરવા માગતા હતા. તેમણે વૃંદાના શ્રાપને જીવિત રાખવા માટે પોતાની જાતને એક શાલિગ્રામ સ્વરુપમાં પ્રકટ કર્યો જે શાલિગ્રામ કહેવાયું.દુ:ખી વૃંદા પોતાના પતિ જલંધરની સાથે જ સતી થઈ ગઈ.વૃંદાની રાખથી તુલસીનો છોડ ઉત્પન્ન થયો. વૃંદાનું માન જાળવવા માટે દેવતાઓએ શાલિગ્રામ સ્વરુપી વિષ્ણુ ભગવાનનો વિવાહ તુલસી સાથે કરાવ્યો. તેને દેવઊઠી અગિયારસ કહેવાય છે.ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું હતું કે, આવતા જન્મમાં તમે એક છોડ સ્વરુપે પ્રકટ થશો. જેનું નામ હશે તુલસી. તમે મને લક્ષ્મી કરતા વધારે પ્રિય હશો, તમારું સ્થાન મારા માથા પર રહેશે. આટલું જ નહીં હું તમારી વગર કોઈ જ પ્રકારનું ભોજન પણ નહીં કરું. તેથી જ ભગવાન વિષ્ણુ કે તેમના તમામ અવતારની પૂજાના પ્રસાદમાં તુલસી હોવી અનિવાર્ય છે.