Connect with us

Sihor

સિહોરમાં વજુભાઈ વાળાના પોસ્ટરો સળગાવી એટ્રોસીટી દાખલ કરવાની માંગ કરતું દલિત અધિકાર મંચ

Published

on

dalit-rights-forum-demands-introduction-of-atrocities-by-burning-posters-of-vajubhai-wala-in-sihore

પવાર

  • પૂર્વ રાજયપાલ અને ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઇ વાળા સામે દલિત અધિકાર મંચનો ખુલ્લો મોરચો ; જાહેરસભામાં અનુસુચિત જાતિ વિશે ટિપ્પણી કર્યાનો આરોપ

સિહોર ખાતે દલિત અધિકાર મંચ દ્વારા વજુભાઈ વાળાના પોસ્ટરો સળગાવી એટ્રોસીટી દાખલ કરવાની માંગ કરાતા ભારે ચકચાર મચી છે દલિત અધિકાર મંચની આવેલી અખબાર યાદીમાં જણાવ્યું છે કે ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન અને કર્ણાટક રાજ્યના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ વજુભાઈ વાળા રહે

dalit-rights-forum-demands-introduction-of-atrocities-by-burning-posters-of-vajubhai-wala-in-sihore

રાજકોટ ચુંટણી પ્રચાર દરમિયાન રાપર વિધાનસભા પર વિરેન્દ્રસિંહ જાડેજા ચુંટણી પ્રચાર દરમિયાન રાપર શહેરમાં પરમ દિવસે બુધવારના રોજ જાહેર સભા અને ભાજપના મધ્યમ કાર્યાલય ઉદ્ધાટન પ્રસંગે તેના ઉદબોધન માં દલીત સમાજ અનુસુચિત જાતિ વિશે ટિપ્પણી કરી ને દલિત સમાજનું જાહેરમાં અપમાન કરી રાજ્ય સરકાર દ્રારા પ્રતિબંધિત કરાયેલ શબ્દો ઉચાર્યા હતા

dalit-rights-forum-demands-introduction-of-atrocities-by-burning-posters-of-vajubhai-wala-in-sihore

જેની વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયામાં પણ વાયરલ થયેલ છે દલિત સમાજ ને જાહેરાતમાં અપમાન કરેલ વજુભાઈ વાળા ભાજપના વરિષ્ઠ આગેવાન છે અને આ ગેરબંધારણીય શબ્દો બોલવા એ ગુન્હો છે એ જાણતા હોય છતા દલિત સમાજ નું અપમાન થાય તેવા શબ્દો જાહેરસભામાં ઉચ્ચારણ કરી ગુન્હો કરેલ હોય વજુભાઇ વાળા સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ દલિત અધિકાર મંચ દ્વારા કરવામાં આવી છે સિહોરમાં વજુભાઈ વાળાના પોસ્ટરો સળગાવી એટ્રોસીટી દાખલ કરવાની માંગ પણ દલિત અધિકાર મંચ દ્વારા કરવામા આવી છે

error: Content is protected !!