Bhavnagar
ભૂપેન્દ્રભાઇનો રાજ્યાભિષેક : ૧૭ સભ્યોનું મંત્રી મંડળ

કુવાડિયા
મુખ્યમંત્રી સહિત 17 મંત્રી સંભાળશે બાવન ખાતાં: ‘દાદા’નું અત્યાર સુધીનું સૌથી નાનું મંત્રીમંડળ : 16 મંત્રીઓમાં સાત નવા ચહેરાનો સમાવેશ: સાત ઓબીસી, એક જૈન, એક કડવા-બે લેઉવા પાટીદાર ઉપરાંત એક ક્ષત્રિય, એક બ્રાહ્મણ, બે આદિવાસી, એક દલિત મંત્રીનો સમાવેશ, રૂપાણી સરકારના ત્રણ મંત્રી રિપિટ: મુળ કોંગ્રેસના ત્રણનો મંત્રીમંડળમાં સમાવેશ: ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના સાત મંત્રીઓ રિપિટ, વડાપ્રધાન નરેન્દ્રભાઇ, કેન્દ્રીય મંત્રીઓ અમિતભાઇ, રાજનાથસિંહ, ભાજપ પ્રમુખ જે પી નડ્ડા વગેરેની હાજરીમાં ભવ્ય શપથ સમારોહ સંપન્ન : કુંવરજીભાઇ, ભાનુબેન, રાઘવજી પટેલ, પરસોત્તમ સોલંકી, ઋષિકેશ પટેલ, કનુભાઇ દેસાઇ, મૂળુભાઇ બેરા, બળવંતસિંહ રાજપૂત સહિત આઠ કેબિનેટ મંત્રીઓ : હર્ષ સંઘવી અને જયદીશ વિશ્વકર્મા સ્વતંત્ર હવાલાવાળા રાજ્યકક્ષાના મંત્રીઓ : અન્ય આઠ રાજ્યકક્ષાના મંત્રીઓ : નવી સરકારમાં ભાનુબેન એકમાત્ર મહિલા મંત્રી : ભવિષ્યમાં વિસ્તરણની શક્યતા : સૌરાષ્ટ્રમાંથી ચાર કેબિનેટ મંત્રીઓ અને એકમાત્ર પરસોત્તમ સોલંકી રાજ્યકક્ષાના મંત્રી : રાજ્યમાં કુલ ૧૨ જિલ્લાઓને પ્રતિનિધિત્વ : જીતુ વાઘાણી, શંકર ચૌધરી, જયેશ રાદડિયા, રમણભાઇ વોરા, ગણપત વસાવા, અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ વગેરેના નામ ગાજ્યા પણ વરસ્યા નહિ : ચૌધરી, વોરા અથવા વસાવાને વિધાનસભાના અધ્યક્ષ બનાવાય તેવી શક્યતા
આજે ગાંધીનગર ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય મંત્રી અમિતભાઇ શાહ, રાજનાથસિંહ, રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા તેમજ ભાજપશાસિત રાજ્યોના ટોચના મહાનુભાવોની હાજરીમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ ૮ કેબિનેટ મંત્રીઓ અને ૮ રાજ્યકક્ષાના મંત્રીઓને શપથ લેવડાવેલ હતા ૧૫મી ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તેમજ ૧૬ મંત્રીઓ આજે બપોરે ૨.૧૫ કલાકે શપથ લીધા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય મંત્રી અમિતભાઇ શાહ, રાજનાથસિંહ, પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિતના મહાનુભાવો અને રાજ્યભરના હજારો કાર્યકરોની હાજરીમાં શપથવિધિ સંપન્ન થઇ છે.
મુખ્યમંત્રી ઉપરાંત આઠ કેબિનેટ મંત્રીઓ અને આઠ રાજ્યકક્ષાના મંત્રીઓ સહિત ૧૭ સભ્યોનું મંત્રીમંડળ થયું છે. આજે શપથ લેનાર મંત્રીઓમાં રૂષીકેશ પટેલ, કનુભાઇ દેસાઇ, રાઘવજીભાઇ પટેલ, બચુભાઇ ખાબડ, જગદીશ પંચાલ, કુબેર ડિંડોર, મુકેશ પટેલ, હર્ષ સંઘવી વગેરેનો સમાવેશ થાય છે.નવા મંત્રીઓમાં મુળુભાઇ બેરા, ભાનુબહેન બાબરીયા, ભીખુભાઇ પરમાર, પ્રફુલભાઇ પાનસેરીયા, કુંવરજી હળપતિ, બળવંતસિંહ રાજપૂત, પુરૂષોત્તમ સોલંકીનો સમાવેશ થાય છે. કુલ ૧૬ પૈકી ૮ કેબીનેટ અને ૮ રાજ્યકક્ષાના મંત્રી છે.
આજે શપથવિધિ સમારોહમાં વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહ મંત્રી તેમજ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રી મંડળના મંત્રીઓ ઉપસ્થિત રહેલ.
શપથવિધિ સમારોહ પૂર્ણ થયા બાદ સાંજે કેબિનેટ બેઠકમાં વિધિવત મંત્રીઓના ખાતાની ફાળવણી કરવામાં આવશે. નવા મંત્રી મંડળમાં મુખ્યમંત્રી સહિત બે કડવા પટેલ, એક અનુસૂચિત જાતિ, બે લેઉવા પટેલ, એક આહિર, ત્રણ કોળી, એક ક્ષત્રિય, એક બ્રાહ્મણ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. શપથવિધિ બાદ કેબિનેટ બેઠકમાં ખાતા ફાળવણી થશે. મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત ૨૭ સભ્યોને લઇ શકાય. હાલ ૧૭ સભ્યોનું મંત્રીમંડળ બનાવી ૧૦ જગ્યા ખાલી રાખવામાં આવી છે. ભવિષ્યમાં વિસ્તરણ થાય તેવી સંભાવના છે. આજે ૮ કેબિનેટ અને ૮ રાજ્ય કક્ષાના મંત્રીઓનો સમાવેશ થયો છે.