Connect with us

Astrology

ધનતેરસ પર આ મામૂલી 10 રૂપિયાની વસ્તુ ખરીદો! માતા લક્ષ્મી થશે પ્રસન્ન

Published

on

buy-this-cheap-rs-10-item-on-dhanteras-mother-lakshmi-will-be-happy

ગ્રંથો અનુસાર ધનતેરસ પર ભગવાન ધન્વંતરિ સમુદ્ર મંથન દરમિયાન કળશ લઇને પ્રગટ થયા હતા. ત્યારથી જ આ તિથિ પર ધનતેરસનો પર્વ ઉજવવામાં આવે છે. આ દિવસે વાસણ, જ્વેલરી તથા અન્ય વસ્તુઓ ખરીદવાનું વિશેષ મહત્વ છે.

માનવામાં આવે છે કે આ દિવસે ખરીદવામાં આવેલી વસ્તુઓ ઘણી ઉપયોગી રહે છે અને શુભ ફળ પ્રદાન કરે છે. આ વખતે ધન તેરસનો પર્વ 22 ઓક્ટોબર, શનિવારે ઉજવવામં આવશે. ધનતેરસ પર કોઇપણ વસ્તુ ખરીદી શકાય છે. પરંતુ આ દિવસે એક ખાસ વસ્તુ જરૂર ખરીદવી જોઇએ. ચાલો તમને જણાવીએ કે આ ખાસ વસ્તુ કઇ છે.
ધનતેરસ પર જરૂર ખરીદો મીઠું

ધનતેરસ પર બીજી વસ્તુઓની સાથે સાથે મીઠું પણ જરૂર ખરીદવું જોઇએ. મીઠું ખરીદવુ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને મા લક્ષ્મીના આશિર્વાદથી ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ રહે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં મીઠાને ચંદ્ર અને શુક્ર ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. શુક્ર ગ્રહના શુભ પ્રભાવથી જીવનમાં દરેક પ્રકારનું સુખ પ્રાપ્ત થાય છે. તેથી ધનતેરસ પર મીઠુ જરૂર ખરીદવું જોઇએ.
જ્યોતિષ અને વાસ્તુમાં પણ મીઠાનું વિશેષ મહત્વ, જાણો તેના ઉપાય

ધનતેરસ પર મીઠાનું પેકેટ ખરીદો અને તેને એક કાચના બાઉલમાં ભરીને ઘરના પૂર્વ ખૂણામાં મુકી દો. આ ઉપાયથી ધીરે ધીર પૈસાની તંગી દૂર થઇ જશે.

Advertisement

જો તમારા ઘરમાં નેગેટિવિટી વધુ હોય તો ધનતેરસ પર પાણીમાં થોડુ મીઠુ ભેળવીને આખા ઘરમાં પોતુ કરો. તેનાથી ઘરની પોઝિટિવિટી વધશે અને શુભ ફળ પણ પ્રાપ્ત થશે.

ઘરનો વાસ્તુ દોષ દૂર કરવા માટે બાથરૂમમાં કાચના ગ્લાસમાં મીઠુ ભરીને મુકી દો. આમ કરવાથી તમારા ઘરનો વાસ્તુ દોષ દૂર થઇ જશે.

બિઝનેસમાં પ્રગતિ માટે દુકાન અથવા ઓફિસમાં એક મીઠાનું પડીકું ઇશાન ખૂણામાં એ રીતે મુકો કે કોઇને દેખાય નહીં. તેનાથી તમારો બિઝનેસ ધમધોકાર ચાલવા લાગશે.

કોઇ બાળકને નજર લાગી ગઇ હોય તો એક ચપટી મીઠુ લઇને ત્રણ વખત તેની ઉપરથી ઉતારો અને તે મીઠાને બહાર ફેંકી દો. માન્યતા છે કે આ ઉપાય કરવાથી તમામ નજર દોષ દૂર થઇ જાય છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!