Gujarat
બજરંગ દળની ચીમકી : ભાવનગરમાં જો પઠાણ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થશે તો સંપુર્ણ જવાબદારી માલીકોની રહેશે

દેવરાજ
ભાવનગરમાં જો પઠાણ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થશે તો સંપુર્ણ જવાબદારી માલીકોની રહેશે’, બજરંગ દળના કાર્યકરોએ ઉચ્ચારી
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ભાવનગર મહાનગર દ્વારા સનાતન હિન્દુ સંસ્કૃતિને હિન બતાવવાનો પ્રયાસ તેમજ હિન્દુ ધર્મપ્રેમી લોકોની લાગણી દુંભાઈ તેવી ફીલ્મ પઠાણનો વિરોધ વિહિપ બજરંગ દળ દ્વારા ઘોઘા ગેઈટ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
બજરંગ દળ કોલેજીયન પ્રમુખ કેયુરભાઈ ભટ્ટએ જણાવ્યું હતું કે હિન્દુ ધર્મના લોકોની લાગણીને ઠેસ પહોંચાડતી ફીલ્મ પછી તે પઠાણ હોય કે અન્ય કોઈપણ ફીલ્મ હોય સિનેમાં હોલમાં રીલીઝ ના કરવી જોઈએ અને જો આવી ફીલ્મ રિલીઝ થશે તો તેના વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી બજરંગ દળ ભાવનગર દ્વારા કરવામાં આવે તો તેની સંપુર્ણ જવાબદારી થિયેટર માલીકોની રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ભાવનગર મહાનગર મંત્રી અરવિંદભાઈ રાઠોડ, વિશ્વ હિન્દુ પરિષદ ભાવનગર મહાનગર સેવા પ્રમુખ હીતેષભાઈ લોલીયાણા સહ જવાબદાર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.