Sihor
સિહોરની ફેકટરીઓમાં મતદાન કરવા અંગે જાગૃતિ અભિયાન

પવાર
ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૨ સંદર્ભે લોકોને વધુમાં વધુ મતદાન કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
સિહોર ખાતેનાં મધુસિલિકા, તમ્બોલી કાસ્ટિંગ, એકરીસિલ, જેનબર્ક હાઈટેક કાસ્ટિંગ, સનજય કાસ્ટિંગ વિગેરે સ્થળે કામ કરતા લોકોને પોતાના આદર્શ લોકશાહીમાં મતની આપવા અંગેની સમજ આપી એક મતની કિંમત સમજાવી તેઓને મતદાન કરવા અંગે પ્રેરિત કર્યા હતા.
આ તકે જિલ્લા ક્ષાર અંકુશ વિભાગ નોડલ ( માઈગ્રેટરી વોટર્સ)અને કાર્યપાલક ઈજનેરશ્રી કે.જી. મકવાણા, આસી. નોડલ અને ઇન્ડસ્ટ્રીઝ સેફટી ઓફિસર શ્રી મિતેશ મેનાત એ ઉપસ્થિત રહીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું