Connect with us

Bhavnagar

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન કાલે ભાવનગરમાં, ચિત્રામાં સભા સંબોધશે

Published

on

Arvind Kejriwal and Bhagwant Mann will address a rally in Bhavnagar, Chitra tomorrow

ગણતરીના દિવસોમાં ચૂંટણી જાહેર થવાની છે ત્યારે રાજકીય પક્ષો માટે ભાવનગર હોટ ફેવરિટ : કાલે વધુ એક વખત કેજરીવાલ ભાવનગરમાં, ચિત્રા સ્વામિનારાયણ મંદિરના ગ્રાઉન્ડમાં અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જાહેરસભા સંબોધશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવાના ભણકારા વચ્ચે રાજકીય પક્ષો દ્વારા રાજકીય કાર્યક્રમો અને જાહેર સભાઓ માટે દોડધામ ચાલુ કરી દીધી છે. રાજકીય પક્ષો માટે ભાવનગર મુખ્ય કેન્દ્ર બન્યું હોય તેમ રાજકીય પક્ષોના રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ વારંવાર ભાવનગરમાં પડાવ નાખી રહ્યા છે. ભાવનગરમાં ત્રીજીવાર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આગામી તા.16ને રવિવારે આવશે અને જાહેર સભા સંબોધશે.

Arvind Kejriwal and Bhagwant Mann will address a rally in Bhavnagar, Chitra tomorrow

વિધાનસભાની ચૂંટણી માટે ભાવનગર હોટ ફેવરિટ હોય તેમ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ભાવનગર પર દૃષ્ટિ કેન્દ્રિત કરી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ લઠ્ઠાકાંડ સમયે દોડી આવ્યા બાદ યુવાનો સાથે સંવાદનો કાર્યક્રમ પણ યોજાયો હતો. ચૂંટણી હવે સાવ ઢુંકડી છે ત્યારે અંત સમય સુધી લડી લેવાના મુડમાં હોય તેમ આગામી તારીખ 16ને રવિવારે શહેરના ચિત્ર સ્વામિનારાયણ મંદિર પાસેના મેદાનમાં બપોરે 2 કલાકે અરવિંદ કેજરીવાલ અને ભાગવત માન જાહેર સભા સંબોધશે.

error: Content is protected !!