Connect with us

Sihor

લોકભારતી સણોસરા ખાતે આગામી મંગળવારે યોજાશે વાર્ષિકોત્‍સવ

Published

on

annual-festival-will-be-held-next-tuesday-at-lok-bharti-sanosara

પવાર

  • શ્રી નાનાભાઈ ભટ્ટ સ્‍મારક વ્‍યાખ્‍યાન આપશે શ્રી હરેશભાઈ ધોળકિયા

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે આગામી મંગળવારે વાર્ષિકોત્‍સવ યોજાશે, આ સાથે શ્રી નાનાભાઈ ભટ્ટ વ્‍યાખ્‍યાનમાળાનું વ્‍યાખ્‍યાન લેખક કેળવણીકાર શ્રી હરેશભાઈ ધોળકિયા આપશે. માગશર વદ બારશ એટલે આગામી મંગળવાર તા.૨૦ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે વાર્ષિકોત્‍સવ યોજાશે. લોકભારતી ખાતે આ પ્રસંગે શ્રી નાનાભાઈ ભટ્ટ સ્‍મારક વ્‍યાખ્‍યાનમાળાના સાંઈઠમાં મણકાનું વ્‍યાખ્‍યાન જાણિતા  લેખક અને કેળવણીકાર શ્રી હરેશભાઈ ધોળકિયા પરિવર્તનશીલ જગતમાં ભારતીય દર્શનઁ વિષય સંદર્ભે આપશે. સંસ્‍થાના વડા શ્રી રઘુવીરભાઈ ચૌધરી તથા શ્રી અરુણભાઈ દવે સાથે નિયામક શ્રી હસમુખભાઈ દેવમુરારિ અને કાર્યકર્તા વિદ્યાર્થીઓ દ્વારા આયોજન તૈયારીઓ થઈ છે.

error: Content is protected !!