Sihor
સિહોરના નામાંકિત ડો દશરથ પ્રજાપતિ હોસ્પિટલ ખાતે માત્ર ટોકન ફી સાથે થાઈરોઈડ કેમ્પ યોજાયો.

દેવરાજ
સિહોર રેલ્વે સ્ટેશન ખાતે આવેલ ખ્યાતનામ એમડી ડો દશરથ પ્રજાપતિ હોસ્પિટલ ખાતે આજે સવારે એબોટ કંપની ના સહયોગ થી ભાવનગર દેવ યુનિવેવ સ્પેશ્યાલિટી લેબોરેટરી ભાવનગર દ્વારા સેવા ના આશય થી માત્ર ટોકન ફી લઇ થાઈરોઈડ નિદાન કેમ્પ યોજાયો હતો.ખાનગી લેબોરેટરી માં થાઈરોઈડ ગ્રંથિ તપાસ સાથે રિપોર્ટ ના આશરે રૂ.450 થી વધુ થવા પામે છે.
તેમજ થાઈરોઈડ પણ બે પ્રકાર નો હોય છે જેમાં ગામઠી ભાષા માં કહીએ તો લીલો. સુકો…હોય છે..જે લીલા થાઈરોઈડ ગ્રંથિ તપાસ દરમિયાન શરીર ફૂલેલી હોય.તેમજ સૂકા માં શરીર દુબળું.પાતળું હોય છે અને ખાસ બહેનો માં થાઈરોઈડ કેસ વધુ જોવા મળે છે.
જેમાં આજ આ થાઈરોઈડ નિદાન કેમ્પ માં ભાવનગર દેવ યુનિવેવ લેબોરેટરી ના માર્કેટિંગ એકઝ્યુકેટીવ કમલેશભાઈ પુરોહિત,તેમજ ફ્લેવોટોમિસ્ટ અતુલ વાઘેલા એ ખાસ સેવા આપેલ .આ સાથે દર ત્રણ માસે સિહોર ડૉ.પ્રજાપતિ સાહેબ ના દવાખાને ટોકન ફી સાથે સવારે આ થાઈરોઈડ નિદાન કેમ્પ માં અવશ્ય લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ છે.