Sihor
સિહોર સ્વામિનારાયણ સેવા કેન્દ્ર ખાતે બટુક ભોજનનું આયોજન કરાયું હતું

પવાર
સિહોર નવા ગુંદાળા રામનગર પ્લોટીગ વિસ્તારમાં આવેલ શ્રી સ્વામિનારાયણ સેવા કેન્દ્ર ખાતે સંચાલક અશોકભાઈ મકવાણાના માર્ગદર્શન હેઠળ ધાર્મિક અને સંસ્કારનું જ્ઞાન નું સિંચન અર્થે આવતા પછાત અને છેવાડા ગરીબ પરિવારના આશરે ૧૩૯થી વધુ બાળકો ને સ્વ.રાહુલભાઇ કાંતિભાઈ ડાભીની જન્મતિથિ નિમિત્તે તમામ બાળકોને બટુકભોજન કરાવવામાં આવેલ આ સેવાકીય પ્રવૃતિને લઈ સ્વામિનાાયણ સેવા કેન્દ્રના અશોકભાઈ મકવાણા દ્વારા આભારની લાગણી વ્યક્ત કરી હતી