Connect with us

Bhavnagar

નારી ગામ પાસે 3600 ચો.મી. પર સૌરાષ્ટ્ર-કચ્છનું અદ્યતન તાલીમ સેન્ટર થશે

Published

on

3600 sq.m near Nari village. Saurashtra-Kutch will have an advanced training center

પવાર

  • નિષ્કામ સેવાનો પર્યાય એટલે હોમગાર્ડઝ દળ ; 75 વર્ષ પહેલા આજની તારીખે હોમગાર્ડઝ દળની સ્થાપના દિવંગત મોરારજીભાઇ દેસાઇએ કરી હતી

ભાવનગર શહેર જિલ્લાની સુરક્ષા અને સેવા અર્થે ૧૧૦૧ હોમગાર્ડઝ ભાઇ-બહેનો ફરજ બજાવી રહ્યા છે. આ હોમગાર્ડઝનો સ્થાપના દિવસ એટલે ૬ ડિસેમ્બર ૧૯૪૭થી આ દળ કાર્યરત છે અને હાલ વટવૃક્ષ બન્યું છે. નારી ગામ પાસે અદ્યતન તાલીમ સેન્ટર માટે જગ્યા ફાળવી દેવાઇ છે. શિસ્ત, સેવા અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પણની ભાવનાઓના આદર્શ વ્યક્તિઓનું દાન એટલે ગુજરાત હોમગાર્ડઝ દળ. ૬ ડિસેમ્બર ૧૯૪૭ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાં દિવગંત મોરારજીભાઈ દેસાઈ આદ્યસ્થાપક હોઈ તેમને હોમગાર્ડઝ દળના ભીષ્મપિતામહ ગણવામાં આવે છે. ૧ લી મે ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્ય અલગ થયું તે પહેલાથી આ દળ કાર્યરત છે. તે વખતે ગુજરાત રાજ્ય હોમગાર્ડઝ દળના પ્રથમ માનદ કમાન્ડન્ટ જનરલ ઉદયન ચીનુભાઈ બેરોનેટ હતા.  ભાવનગરના પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહે ભાવનગર રાજ્યની સઘન સુરક્ષા માટે રોયલ ગાર્ડની સ્થાપના કરી હતી આઝાદી બાદ આ ફોર્સની હોમગાર્ડઝ દળમાં વિલીનીકરણ કરવામાં આવ્યું હતું તેમ માનવામાં આવે છે. હાલમાં ભાવનગર જિલ્લામાં ભાવનગર શહેર સહીત ૧૪ યુનિટમાં ૧૦૩૨ હોમગાર્ડઝ જવાનો અને ૬૯ હોમગાર્ડઝ મહિલા એમ મળી કુલ ૧૧૦૧નું સંખ્યા બળ છે. હોમગાર્ડઝ દળનાં જવાનો અને મહિલાઓ કાયદો અને વ્યવસ્થાની કામગીરીમાં પોલીસ દળની સાથે ખભેથી ખભો મેળવીને કામગીરી કરે છે તેમજ કુદરતી અને માનવ સજત આપત્તિ સમયે વહીવટી તંત્રની માથે મદદરૂપ થઇ આ રાષ્ટ્રીય દળમાં માનદ વેતન મેળવી નિષ્કામ સેવા આપે છે.

પછી તે નાગરિક સંરક્ષણની કામગીરી હોય યુદ્ધ વખતે આંતરિક સલામતી હોય, કોમી તોફાનો હોય, ભૂકંપ હોય કે કોરોના કાળ હોય હોમગાર્ડઝ દળના જવાનો અને મહિલાઓએ એક થોદ્ધા તરીકે દિવસ રાત ઉત્તમ કામ કરી દેશપ્રેમની જ્યોત પ્રજ્વલિત રાખી છે. સાથોસાથ હોમગાર્ડઝ કલ્યાણ નિધિની કામગીરી ગુજરાત રાજ્યમાં ભાવનગર જિલ્લો અવ્વલ છે. વર્ષ ૨૦૨૧ થી આજદિન સુધીના ટૂંકા સમયમાં જુદીજુદી કલ્યાણ નિધિની યોજના અંતર્ગત અંદાજીત કુલ રૂપિયા ૫૪ લાખની હોમગાર્ડઝનાં પરિવારને સહાય આપવામાં આવી જ્યારે કોરોના કાળમાં અવસાન થયેલા જિલ્લાનાં કુલ ત્રણ હોમગાર્ડઝ જવાનના પરિવાર દીઠ ૨૫ લાખ એમ કુલ ૭૫ લાખ રૂપિયાની મુખ્યમંત્રી કલ્યાણ નિધિમાંથી ઝડપથી સહાય મળી છે. તદ્દઉપરાંત ભાવનગર જિલ્લાનાં હોમગાર્ડઝ જવાન મહિલાના પરિવારને મરણોત્તર સહાય, શિષ્યવૃત્તિ તબીબી સહાય, મહિલા હોમગાર્ડઝને પ્રસુતિ સહાય, વિધવા મહિલા હોમગાર્ડને ગૃહ ઉદ્યોગ સહાય એમ કુલ ૧૨ જેટલી કલ્યાણકારી યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. ભાવનગર જિલ્લા હોમગાર્ડઝ પાસે સરકારે નક્કી કર્યા મુજબ નિયત માળખું કાર્યરત છે જેમાં જિલ્લાના વડા તરીકે જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ શંભુસિંહ સરવૈયા છે. ભાવનગરનાં નારી ગામ પાસે અમદાવાદ હાઈવે પર અંદાજીત કુલ ૩૬૦૦ ચો.મી. જેટલી જમીનમાં સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાનું એકમાત્ર અધ્યતન અને સંપૂર્ણ સુવિધાયુક્ત હોમગાર્ડઝ તાલીમ સેન્ટર આગામી દિવસોમાં નિર્માણ પામશે. ભાવનગર જિલ્લામાં હોમગાર્ડઝ દળમાં અત્યાર સુધીમાં ૦૮ મુખ્યમંત્રી ચંદ્રક અને ૦૨ રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવનાર મહિલા હોમગાર્ડઝ છે જે ભાવનગર જિલ્લા માટે ગૌરવ સમાન છે.

error: Content is protected !!