Sihor
સિહોર તાલુકાના બુઢણા ગામે શિવ નેચરલ ક્લબ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશૂલ્ક માળા કુંડાનું વિતરણ કરાયું
દેવરાજ
સિહોર ; શહેરીકરણ, ગીચતા, બાલ્કનીના અભાવ, હવા માટે બારીઓને બદલે લાગતા એરકન્ડીશનરના પગલે ગત વર્ષોમાં નાનકડા પ્યારા પંખી ચકલીઓ ગાયબ થતા જોવા મળે છે. ત્યારે રાજ્યમાં અનેક સંસ્થાઓ ચકલીઓ માટે પુંઠા,ગરબા વગેરેથી બનાવેલા માળા તથા પાણીના કુંડાનું નિઃશૂલ્ક વિતરણ થતા હોય છે
ત્યારે સિહોર તાલુકાના બુઢણા ગામે શિવ નેચરલ ક્લબ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશૂલ્ક માળા કુંડાનું વિતરણ તથા લગાવવાનું કાર્ય કરાયું હતું હર હમેશ સેવાકીય કાર્યોમાં શિવ નેચરલ ક્લબ ટ્રષ્ટનું નામ મોખરે હોય ત્યારે ગરીબો ને ધાબળા વિતરણ, અનાજ વિતરણ, મૂંગા ઢોરને નિરણ, પશુ માટે પીવાના પાણીની ટાંકી વગેરે અગણિત કાર્યો કરનાર આ ગ્રુપ દ્વારા અલગ અલગ ગામોમાં માળા લગાવવામાં આવ્યા હતા અને વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને ચકલી બચાવોનો સંદેશો આપ્યો હતો