Bhavnagar

સમયની સાથે તાલ મીલાવવા માટે ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી કટિબદ્ધ 

Published

on

બરફવાળા

  • ભાવનગર પ્રાદેશિક કચેરી ખાતે કુલપતિ ડો.અમીબેન ઉપાધ્યાયની સંચાલકો સાથે શુભેચ્છા મુલાકાત યોજાઈ : સંચાલકો સાથેની બેઠકમાં યુનિવર્સિટી દ્વારા ભવિષ્યના પ્લાનીંગની રૂપરેખા આપતા ડો.અમીબેન ઉપાધ્યાય

આજના સમયમાં બદલાયેલી શિક્ષણની વ્યાખ્યા સાથે સતત બદલાતી શિક્ષણ ની મૂલ્ય સાપેક્ષતા ને ધ્યાને લઈને Education For Allના ધ્યેય સાથે આગળ ધપી રહેલી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના.કુલપતિ પ્રો.(ડો.) અમીબેન ઉપાધ્યાય ભાવનગર રિજ્યોનલ સેન્ટર હેઠળના ભાવનગર અમરેલી અને બોટાદમાં કાર્યરત યુનિવર્સિટીના કોલેજ કેન્દ્રોના સંચાલકો હાજર પ્રાધ્યાપકો,અધ્યાપકો તમામને સમાન શિક્ષણનો લાભ આપવા માટે સતત પ્રયત્નશીલ રહેવા માર્ગદર્શન આપ્યું હતું. ભાવનગર શહેરના વાઘાવાડી રોડ સ્થિત મ. કૃ. ભાવ.યુનિ.ના જુના કેમ્પસમાં આવેલ શામળદાસ કોલેજ નજીકના પ્રિન્સિપાલ બંગલો ખાતે કાર્યરત થયેલાં ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.ના રિજ્યોનલ સેન્ટરની  ભાવેણાંના પનોતા પુત્રી અને યુનિ.ના કા.કુલપતિ પ્રો.(ડૉ.) અમીબેન ઉપાધ્યાયે મુલાકાત લીધી હતી.

જયાં ભાવનગર રિજ્યોનલ સેન્ટરના સ્ટાફે તેમનું અદકેરું સ્વાગત કર્યું હતું. તો આ તકે, ભાવનગર રિજ્યોનલ સેન્ટર હેઠળના ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લામાં કાર્યરત કોલેજ સેન્ટરના સંચાલકો, પ્રાધ્યાપકો અને અધ્યાપકો તથા શિક્ષણવિદો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત તમામે પણ કા. કુલપતિશ્રીનુ સ્વાગત અને સન્માન કર્યું હતું કા.કુલપતિશ્રી પ્રો.(ડૉ) અમીબેન ઉપાધ્યાયની અધ્યક્ષતામાં Education For Allના શિર્ષક હેઠળ શિક્ષણ સંગોષ્ઠિ યોજાઇ હતી. ગંગોષ્ટિના પ્રારંભે ભાવનગરના ડાયરેક્ટર ડૉ. પ્રીતિબેન જોષીએ સ્વાગત કર્યું હતું.

dr-babasaheb-ambedkar-open-university-determined-to-keep-pace-with-the-times

કા. કુલપતિ પ્રો.(ડૉ) અમીબેન ઉપાધ્યાયે અધ્યક્ષીય ઉદબોધન કરતા કહ્યું કે, આજના આધુનિક સમયમાં શિક્ષણ એ પાયાની જરૂરિયાત બની ગઈ છે. જો કે આજના સમયમાં શિક્ષણને લઈ ખૂબ મોટી જાગરૂકતા સાથે શિક્ષણના આયામો થકી સ્વાવલંબન અને સ્વરોજગાર પર પણ આજનો યુવા વર્ગ કાર્યશીલ થયો છે. જો કે મોટા શહેરોની સરખામણીએ અન્ય નાના શહેરો અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ઉચ્ચ શિક્ષણના બહુવિધ વિકલ્પ ના અભાવે આજનો યુવાવર્ગ પોતાના કૌશલ્ય જરૂરી શૈક્ષણિક લાયકાત થકી કાર્યશૈલીના રૂપે રજૂ કરી શકે તેવી સગવડતાઓ અને સુવિધા સિમિત જોવા મળી રહી છે.

તો, ઘણાં કિસ્સામાં યુવતીઓથી લઈ ગૃહિણીઓ સામાજિક અને પારિવારિક જવાબદારીઓ કારણે ઘરઆંગણે પોતાના અનુકૂળ સમયે ઉચ્ચ શિક્ષણ મેળવવાની ઈચ્છા પુરી શકતી નથી. ત્યારે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ. આવા તમામ પ્રશ્નોના સુખદ ઉકેલ લઈને સમગ્ર રાજ્યમાં કામ કરી રહી હોવાનું જણાવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તમામને સમાન શિક્ષણ નો હક્ક છે. તેને ચરિતાર્થ કરવાની ફરજ આપણા સૌની હોવાનું કહ્યું હતું.તેમણે કોલેજ સેન્ટર સંચાલકો, પ્રાધાયકો તથા અધ્યાપકોને સંબોધતા ઉમેર્યું કે, ભાવનગર અમરેલી અને બોટાદ વિસ્તારના વિદ્યાર્થી વર્ગને યુનિ.માં ચાલતાં સ્નાતક,અનુસ્નાતક અને ડિપ્લોમા જેવા રોજગાર સહિતના બહુવિધ આયામી અભ્યાસક્રમ અંગે અવગત કરી તેમાં જોડાવા પ્રયત્નશીલ બનાવવા આહ્વાન કર્યું હતું.

તેમણે ઉપસ્થિત સૌને એવો વિશ્વાસ પણ આપ્યો હતો કે, કોલેજ સેન્ટરથી લઈ વિદ્યાર્થીઓને ઘરઆંગણે સુવિધા મળી રહે તે માટે ભાવનગર ખાતે રિજ્યોનલ સેન્ટર પણ કાર્યરત કરવામાં આવ્યું છે જે યુનિ. વતી સ્થાનિક સ્તરે મૂંઝવતી તમામ સમસ્યા, પ્રશ્નનો ઝડપથી ઉકેલ લાવી આપશે. શિક્ષણ સંગોષ્ઠિના અંતે ઉપસ્થિત તમામ વચ્ચે ફળદાયી ચર્ચાઓ થઈ હતી. અંતમાં ભાવનગર રિજ્યોનલ સેન્ટરના ધર્મેન્દ્રસિંહ ગોહિલ એ આભારવિધિ  કરી હતી.  સમગ્ર કાર્યક્રમનું સંચાલન આસીસ્ટન્ટ રીજયોનલ ડાયરેક્ટર વૈભવભાઈ મહેતાએ કર્યું હતું. શિક્ષણ સંગોષ્ઠિના અંતે તેમણે ભાવનગર રિજ્યોનલ સેન્ટર હસ્તક ચાલતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

Advertisement

Exit mobile version