Bhavnagar

યુવરાજને ફરી પોલીસનું તેડું! ભાવનગર ડમી કાંડમાં યુવરાજસિંહ જાડેજાને ફટકારી બીજી નોટીસ

Published

on

બરફવાળા

યુવરાજસિંહે માગ્યા 10 દિવસ પોલીસે આપ્યા 2 દિવસ, ડમીકાંડ બાદ તોડકાંડમાં હાઈવોલ્ટેજ ડ્રામા શરૂ

ડમી ઉમેદવાર કાંડનો મુદ્દો તૂણ પકડી રહ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ છેલ્લાં કેટલાંક દિવસોથી ભારે ચર્ચામાં છે. જોકે, હવે તેમને પોલીસની પૂછપરછની ચિંતા સતાવી રહી હોય તેવું પણ પ્રતિત થઈ રહ્યું છે. આજે ભાવનગર ખાતેથી રેન્જ આઈજી ગૌતમ પરમારનું એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. રેન્જ આઈજી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે, યુવરાજસિંહ વિરુદ્ધ કેટલાક આક્ષેપો મામલે સમન્સ આપ્યું હતું. યુવરાજ સિંહ આજે તબિયત ખરાબ થતા હાજર થયા નહોતા, અને તેમણે પોલીસ સમક્ષ હાજર થવામાં 10 દિવસનો સમય માંગ્યો છે. ભાવનગર પોલીસ તરફથી 21 તારીખે 12 વાગ્યા સુધીમાં હાજર રહેવા સમન્સ આપવામાં આવ્યું છે. તપાસમાં પોલીસે 36 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે, 6ની ધરપકડ થઈ છે. ડમીકાંડમાં તમામ દોષીઓને ઝડપી લેવાશે. આક્ષેપો મુજબ તટસ્થ તપાસ માટે યુવરાજનો પક્ષ જાણવો જરૂરી છે. બીજીવાર હાજર ના રહે તો કાયદાકીય પ્રક્રિયા વિશે વિચારણા થશે. ગૌતમ પરમારે વધુમાં જણાવ્યું હતું કે, હાલ જે તપાસ ચાલુ છે એમાં પુરાવા મુજબ કાર્યવાહી થશે. બિપિન ત્રિવેદીની પૂછપરછ ચાલી રહી છે.

Yuvraj again called the police! Another notice slapped on Yuvraj Singh Jadeja in the Bhavnagar dummy scandal

પોલીસ તપાસ પુરાવા મુજબ થાય છે, એ મુજબ કાર્યવાહી થશે. કેટલાક આરોપીઓ સામે પુરાવા પણ મળ્યા છે, કાર્યવાહી નિયમ મુજબ થશે. તમામ પુરાવા અને સત્યતા ચકાસ્યા બાદ તમામની ધરપકડ થશે. દસ્તાવેજી પુરાવાનું વેરિફિકેશન ચાલુ છે. તમામ શખ્સોની પૂછપરછ ચાલુ છે. પોલીસની કોઈ ઢીલી નીતિ નથી, તપાસ બાદ તમામને તક આપવી પડે છે. જે પણ તપાસ ચાલી રહી છે એમાં પુરાવા મેળવી કોર્ટમાં રજૂ કરવાની થતી હોય છે. ગૌતમ પરમારે જણાવ્યું હતું કે, બિપિન ત્રિવેદી દ્વારા યુવરાજસિંહનું નામ લેવાયું છે, એટલે એને સમન્સ આપવામાં આવ્યું છે. યુવરાજ જવાબ આપવા આવે ત્યારે જ અટકાયત કે ધરપકડ જેવી કોઈપણ કાર્યવાહી અંગે ત્યારબાદ જ કાર્યવાહી કહી શકાય એમ છે. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ છેલ્લાં કેટલાંક દિવસોથી ભારે ચર્ચામાં છે. પહેલાં તેમને પોતાના અને પરિવારની સુરક્ષાની ચિંતા સતાવી રહી હતી. જોકે, હવે તેમને પોલીસની પૂછપરછની ચિંતા સતાવી રહી હોય તેવું પણ પ્રતિત થઈ રહ્યું છે. એજ કારણ છે કે, પોલીસ સમક્ષ પૂછપરછ માટે હાજર થવાને બદલે યુવરાજસિંહે હજુ પણ થોડા દિવસોનો સમય માંગ્યો. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની તબિયત લથડી હોવાની વાત સામે આવી છે. યુવરાજસિંહ જાડેજાના પત્નીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી

Advertisement

Exit mobile version